SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪૪ ] દર્શન અને ચિંતન લાભ લઈ કેટલાક ધૂર્તે બ્રહ્મચારીના સ્વાંગમાં રહીને ભોળા સમાજને લૂંટે છે અને મનમાન્યું ભેગવે છે. ટૂંકામાં “લેમિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે એ કહેવત ચરિતાર્થ થઈ જ રહી છે. ૧૨. કાકા સાહેબના પ્રશ્નો અને ઉપસંહાર પૂજ્ય કાકાસાહેબે બ્રહ્મચર્ય વિશે જૈન દૃષ્ટિએ વિચાર કરવા જે જે મુદ્દાઓ જણાવ્યા હતા તે નીચે આપીએ છીએ? ૧. બ્રહ્મચર્યને ઉપદેશ નિરપવાદ છે કે સાપવાદ? ૨. પૂર્ણ બ્રહ્મચર્ય વગર મોક્ષ અસંભવિત છે. એવી માન્યતા છે કે નહિ ? ૩. મેક્ષપ્રાપ્તિ ઉપરાંત બ્રહ્મચર્યને અન્ય કોઈ હેતુ બતાવ્યો છે? જ. મેક્ષસાધન તરીકે બ્રહ્મચર્યને સ્વીકાર પરંપરાને લીધે થયો છે કે તર્કસિદ્ધ છે કે ખોજને પરિણામે જડ્યો છે ? પ. બ્રહ્મચર્યની વ્યાખ્યા શી ? એમાં પણ તારતમ્યરૂપ ભેદ છે? ૬. માણસ પરણે નહિ, અન્ય રીતે વિષયસેવન કરે નહિ, સમાજમાં રૂઢ થયેલે સદાચાર પાળે અને સાધારણ રીતે યુક્તાહારવિહારી હોય તે એટલાથી એ આદર્શ બ્રહ્મચારી થઈ શકે, કે આદર્શ બ્રહ્મચારી થવા માટે વિશિષ્ટ સાધનવાળું જીવન ગાળવું જોઈએ ? ૭. બ્રહ્મચર્યની સાધના માટે આહારવિહારાદિના ક્યા ક્યા, કેવા કેવા નિયમો સૂચવ્યા છે? એમાંના કેટલા પ્રત્યક્ષ અમલમાં મુકાતા હતા ? અને કેટલા અતિશયોક્તિરૂપે છે? . ૮. બ્રહ્મચર્યની સાધના માટે અત્યાર સુધી કોણે કોણે ખાસ પ્રયત્ન કરેલા જણાય છે ? તેમની સાધના કેવી હતી ? તેમને કેવી મુશ્કેલીઓ નડી ? તે દર, કરવાના ક્યા કયા ઉપાયે લેવાયા ? ૯. પૂર્વાચાર્યોએ રજૂ કરેલા આદર્શમાં અને સાધનામાં પાછળના લકે એ અનુભવને પરિણામે કાંઈ ફેરફાર સૂચવ્યો છે? અથવા મર્યાદાઓ મૂકી છે ? ૧૦. બ્રહ્મચર્યના પાલનમાં કોણ કોણ નિષ્ફળ નીવડ્યા અને શા કારણે? ૧૧. બ્રહ્મચર્ય સિદ્ધ થવાથી કઈ કઈ સિદ્ધિઓ પ્રાપ્ત થયાનો ઉલ્લેખ છે ? એમાંથી પ્રત્યક્ષ અનુભવ કેટલે નોંધાયું છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy