SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૮ ] દર્શન અને ચિંતન ગશાસ્ત્રમાં આચાર્ય હેમચંદ્ર કહે છે કે સ્ત્રીઓ સ્વભાવે જ ઠગ, ક્રૂર, ચંચળ અને કુશીલ હોય છે. તેઓ તે એવી દુષ્ટ હોય છે કે સ્વાર્થ માટે પિતાના પતિને, પુત્રને, પતાને કે ભાઈને પણ ખાડામાં નાખતાં પાછું વળી ન જુએ. ટૂંકામાં સ્ત્રીઓ સંસારનું બીજ છે, નરકમાર્ગની દીવીઓ છે, શોકનું મૂળ છે અને દુઃખની ખાણ છે. માટે બ્રહ્મચારી પુરુષે તેમનાથી સદા ચેતતા, રહેવું. આવી શૈલી ઉપરાંત એક બીજી શૈલી પણ છે. તેમાં ભય અને લાલચો દ્વારા બ્રહ્મચારીને સાવધ થવાની સૂચના છે. જેમકે, બ્રહ્મચારી પુરુષ કે સ્ત્રી પિતાના વ્રતમાં સાવધ ન રહે તો તેને જન્મ જન્મ નપુંસક થવું પડશે કે રંડાવું પડશે, નરકમાં તપેલા લેઢાની પૂતળીને ભેટવું પડશે, આ લેકમાં એની પ્રતિષ્ઠા જશે, નિર્ધનતા આવશે, ભગંદર વગેરે રોગો થશે વગેરે વગેરે. જે પિતાના વ્રતને બરાબર પાળે છે તેને અગ્નિ પાણુ સમાન છે. સાપ ફૂલની માળા સમાન છે, વાઘ તો તેની પાસે હરણિયું બની જાય છે, વિMો ઉત્સવરૂપે થઈ જાય છે, તેના સાધેલા મંત્ર ફળે છે, જગતમાં જશ વધે છે, તેને દેવો સહાય કરે છે, નવે નિધાન સાંપડે છે, ચક્રવતી પણું મળે છે અને યથેષ્ટ કામભોગે પણ પ્રાપ્ત થાય છે, માટે બ્રહ્મચારીએ પિતાના વ્રતને બરાબર સાચવવું. આ રીતે બ્રહ્મચર્યમાં સાવધ રહેવા માટે એક તે સ્ત્રી જાતિના અત્યંત અપકર્ષની વાત કરી તેના તરફ ઘણા પેદા કરવાની અને બીજી ભય અને લાલચ બતાવવાની ઉપદેશશેલી પહેલેથી ચાલી આવે છે. આ સિવાય બીજી કોઈ શૈલી શાસ્ત્રમાં કે વ્યવહારમાં ચાલુ હોય એમ જણાતું નથી. ૧૦. વૈવાહિકમર્યાદા જૈન ધર્મ વિધાન કરે તે બ્રહ્મચર્યનું જ કરે. એથી વિવાહ કેમ કરે કેવા પાત્રની સાથે કરે, કેટલી વયે કરવો વગેરે પ્રશ્નોનો નિકાલ જૈનોના પ્રાચીન સાહિત્યમાં નથી દેખાતો, તેમ જ સંતાનોત્પત્તિની આવશ્યકતા વિશે પણ એ શાસ્ત્ર તદ્દન ઉદાસીન છે. ત્યારે વૈદિક સ્મૃતિઓ, કે જેમાં ગૃહસ્થાશ્રમની પદ્ધતિને ખાસ આવશ્યક માનવામાં આવી છે, તેમાં વિવાહને લગતા અનેક જાતના પ્રશ્નોને નિકાલ અને સંતાનોત્પત્તિની આવશ્યકતા વિશેનો ખાસ મત નેંધાયેલ છે. સ્મૃતિઓની પેઠે જૈન શાસ્ત્રોમાં કોઈ જાતનાં વૈવાહિક વિધાનો નથી, પરંતુ તેમાં સ્ત્રીપુરુષનાં જે જે વર્ણને આવેલાં છે તે દ્વારા તે સમયની વિવાહવિષ્યક મર્યાદા વિશે જરૂર પ્રકાશ પડે એમ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy