________________
જેની દષ્ટિએ બ્રહ્મચર્ય વિચાર
[ ૫૩૭
ના ઝૂમઃ સૂક્ષ્મ ઋતુમ સ્થાપ્રશm: स्मरसद्मनि कण्डुतिं जनयन्ति तथाऽबलाम् ।।
–અધ્યાય ૧, અધિકાર ૨, પૃ. ૭૭-૭૮ અર્થાત સ્મરસન્દ્ર–નિ–માં જે કંપ્નતિ ચળ આવે છે તે તેમાં રહેલા રક્તજન્ય સૂક્ષ્મ કૃમિઓને લીધે.
કવિ કે કોક પિતાના રતિરહસ્યમાં (પરિ. ૩, . ૮, પૃ. ૨૩) પણ આ જ વાતને આ જ શબ્દોમાં મૂકે છે:
योनियन्त्रसमुत्पन्नाः सुसूक्ष्मा जन्तुराशयः । पीडयमाना विपद्यन्ते यत्र तन्मथुनं त्यजेत् ॥
–યોગશાસ્ત્ર પ્રકાશ ૨, શ્લે. ૭૯, પૃ. ૧૨૧ એમ કહી આચાર્ય હેમચન્દ્ર કામાચારમાં થતા જીવવધને ત્યાગ કરવા કામાચારના વર્જનને ઉપદેશ કરે છે અને સાથે વાત્રયાયનને ઉપર્યુક્ત પુરાવો પણ ટકે છે.
વર્તમાન વિજ્ઞાને કરેલું આ ઉત્પત્તિનું સમર્થન તે જાણીતું છે. એમ બ્રહ્મચર્ય પાળવામાં જેમ બીજી અનેક દૃષ્ટિએ છે તેમ આ અહિંસાની પણ એક દૃષ્ટિ છે અને ખાસ કરીને જેનોપદેશક બ્રહ્મચર્યને ઉપદેશ દેતાં તેને પણ ઉપયોગ કરે છે. ૯. બ્રહ્મચર્યમાં સાવધ રાખવા માટે ઉપદેશૌલી
આવા ઉપદેશમાં મોટે ભાગે સ્ત્રી જાતિની નિંદા દ્વારા તે પ્રતિ ધૃણા ઉપજાવી વિષય તરફનો વૈરાગ્ય ટકાવવાની હકીકતો આવે છે. આ જાતની શેલી ૨૨ સૂત્રકાળથી તે આજ સુધીના સાહિત્યમાં એકસરખી ચાલી આવે છે. સૂત્રોમાં કહેવું છે કે સ્ત્રી જાતિ બહુ માયાવાળી છે. એનું મન ક્યાંય હોય છે, વચન બીજે હોય છે અને પ્રવૃત્તિ વળી ત્રીજે હોય છે. જેમ વૈતરણી નદી દુસ્તર છે તેમ સ્ત્રીઓ પણ દુસ્તર છે. સ્ત્રીઓ ખૂબ હાવભાવ કરીને પુરુષોને લલચાવે છે. માટે બ્રહ્મચારી પુરુષ ચેતતે હેય, છતાં કદાચ તેનું મન બહાર ચાલ્યું જાય તે તેણે એમ વિચારવું કે જેની તરફ મારું મન જાય છે તે મારી નથી, હું પણ તેને નથી. એમ સંસારને અસ્થિર સંબંધ વિચારી તેણે તરફના રાગને દૂર કરવા પ્રયત્નશીલ રહેવું, આતાપના લેવી (સૂર્યના તડકામાં ધ્યાન કરવું), સુકુમારતાનો ત્યાગ કરે, શબ્દાદિ વિષને ત્યજી દેવા અને કામનાં પરિણમે વિચારી રાગ અને દ્વેષને છેદ કરવા તત્પર રહેવું.
૨૨. આ જાતની શૈલી વૈદિક અને બૌદ્ધ સાહિત્યમાં પણ ઉપલબ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org