________________
પ૩૬ ].
દર્શન અને ચિંતન જે ઉપર જણાવેલે અપરાધી આચાર્ય, ઉપાધ્યાય વગેરેની પદવી ધરાવતે હોય અને તેણે ઉપર્યુક્ત ૨-૩-૪ કલમમાં લખેલા અપરાધ કર્યા હોય તે તેને યથાયોગ્ય અનવસ્થાપ્ય અને પારાંચિત પ્રાયશ્ચિત્ત આપવાં.
[અવસ્થા એટલે દીક્ષા પર્યાયનો છેદ કરીને પાછો દીક્ષાનો આરોપ ત્યારે જ કરવામાં આવે કે જ્યારે તેણે અમુક આપેલ પ્રાયશ્ચિત્ત પૂરું કરેલું હોય. સામાન્ય સાધુઓને તે દીક્ષા પર્યાયને છેદ કરીને તરત જ દીક્ષા આપવામાં આવે છે, જ્યારે આ જોખમદાર વ્યક્તિઓ માટે વિશિષ્ટ પ્રાયશ્ચિત્ત છે.
પારાંચિત એ અનવસ્થાપ્યના જેવું છે. માત્ર ફેર એ છે કે દીક્ષા પર્યાયન છેદ કર્યા પછી જે પ્રાયશ્ચિત પૂરું કરવાનું હોય છે તે જે દેશમાં પિતાની અપકીર્તિ આદિ થયેલ હોય તે દેશાદિને છોડીને અને સાધુવેશ મૂકીને કરવાનું હોય છે. ]
સામાન્ય ભિક્ષુ, આચાર્ય, ઉપાધ્યાયાદિ પિતાના ભિક્ષત્રનો કે પદનો ત્યાગ કર્યા સિવાય બ્રહ્મચર્યને ભંગ કરે તે તેમને જીવતાં સુધી આચાર્યાદિની પદવી ફરી આપી શકાય નહિ તેમ તેઓ લઈ શકે પણ નહિ. જો એ આચાર્ય વગેરે પિતાની પદવીને ભાર અન્યને સેંપી દે અને ગ૭થી છૂટા થઈને ભંગ કરે અને તે પછી તે સુધરી જાય એમ ચેકસ લાગે તો પણ ત્રણ વર્ષ સુધી તે તેઓને તે પદવી આપી શકાય નહિ જ. ચોથે વર્ષે આપી શકાય અને તેઓ તે વખતે લઈ પણ શકે.
– તકલ્પ અને તેની ચૂર્ણિને આધારે. ૮. બ્રહ્મચર્યમાં એક ખાસ દષ્ટિ
બ્રહ્મચર્ય પાળવામાં અહિંસાની પણ એક ખાસ દષ્ટિ છે. કામાચારને સેવતાં બીજા અનર્થો તો છે જ, ઉપરાંત અનેક જીવને ઘાત પણ થાય છે. કામાચારને સેવતા મનુષ્યને કેવા પ્રકારને અસંયમ લાગે ?' એવો પ્રશ્ન શ્રી ગૌતમે ભગવાન મહાવીરને કર્યો. એના ઉત્તરમાં ભગવાન મહાવીરે ભગવતીસૂત્ર (શતક ૨, ઉદ્દેશક ૫, પ્રશ્નોત્તર અંક ૩૩ )માં જણાવ્યું કે કોઈ મનુષ્ય રૂથી ભરેલી નળીમાં તપેલે સળિયો નાખે તે રૂનો નાશ થઈ જાય છે તેમ કામાચારસેવી મનુષ્ય સ્ત્રી નિગત જતુઓનો નાશ કરે છે. તે જતુઓ પણ આપણી પેઠે પંચેન્દ્રિય છે અને તેમની સંખ્યા નવ લાખ છે. એ ઉપરાંત એ આની સાથે રહેલા સમ્મઈિમ ની તે કાંઈ સંખ્યા જ નથી. વાસ્યાયન કામસૂત્રને ટીકાકાર જયમંગળ પણ નીચેના ગ્લૅક દ્વારા એ ઉત્પત્તિને ઉલ્લેખ કરે છેઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org