________________
જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર
[ પ૩૫ કાંઈ ફેરફાર ન જણાય છે તેને લાંબા ઉપવાસ કરાવવા. ઉપવાસોથી પણ એ ઠેકાણે ન પડે તે એની પાસેથી સેવા વગેરેનું ખૂબ મહેનતી કામ લેવું. પછી તેને મહિનાના મહિના સુધી ઊભો જ રહેવાની ભલામણ કરવી. પછી કઈ સુશીલ સાથી આપીને તેને લાંબા લાંબા વિહાર (પ) કરાવવા. પત્થના થાકથી પણ એ ન શમે તો જે એ શાસ્ત્રાભ્યાસનો રસિક હોય તો તેને શાસ્ત્રો કંઠસ્થ કરાવવા તથા તેના અર્થો પણ યાદ રખાવવા. આ સ્વાધ્યાયની પ્રવૃત્તિ રાતદિવસ ચલાવવી અને તે પણ લાંબા સમય સુધી. આ બધા ત્યાગપ્રધાન ઉપાયે અનવરત ચાલુ રાખવાના છે એ યાદ રાખવું જોઈએ.
મનુષ્ય, આશ્રમની વ્યવસ્થામાં યથાક્રમ પસાર થઈ પછી સંન્યાસમાં આવતો હોત આવી યોજનાનો ઉદ્ગમ ભાગ્યે જ થાત, અથવા સંન્યાસની પ્રતિજ્ઞા અમુક મુદત સુધીની હોત તો પણ આવા બંધારણની જરૂર ભાગે જ રહેત. આ ઉપરાંત બ્રહ્મચારિણીઓના આ પ્રસંગને લગતા પ્રાયશ્ચિત્તના પ્રકારે, તેને પ્રાયશ્ચિત્ત આપનારાઓની ગ્યતા અને આ જાતના ગંભીર પ્રસંગે તરફ ગુરુ ઉપેક્ષા રાખે તો તે પણ કેવા મહાપ્રાયશ્ચિત્તનો ભાગી થાય છે, વગેરે વગેરે અનેક વિચારણાઓ તે ગ્રંથમાં સેંધાયેલી છે. ૨૧
બ્રહ્મચર્યભંગ કરનારા ભિક્ષુઓ માટે પ્રાયશ્ચિત્તનું વિધાન આ પ્રમાણે છે :
૧. બ્રહ્મચર્યના ભંગને લગતું દુઃસ્વપ્ન આવે તો ૧૦૮ શ્વાસપ્રશ્વાસ સુધી મૌન રહી ધ્યાન કરવું.
૨. જાહેર રીતે કોઈ સાધ્વી સ્ત્રીના શીલને તેડવાના ઈરાદાથી બ્રહ્મચર્યનું ખંડન કરે તે એના દીક્ષા પર્યાયને સર્વથા છેદ કરે. (દીક્ષા પર્યાયને છેદ કરે એટલે કોઈને દીક્ષા લીધે ૨૦ વર્ષ થયાં હોય અને તે જ આ ગુને કરે તે તેનાં ૨૦ વર્ષમાંથી ૧૫ વર્ષ કાપી નાખવાં અને તેને પાંચ વર્ષથી જ દીક્ષિત થયે જાહેર કરે, એટલે કે તેને સંધમાં વડીલ કે વૃદ્ધ ગણાતો અટકાવવો.)
૩. ગર્ભપાત કે ગર્ભાધાનાદિ કરે તો પણ દીક્ષા પર્યાયને સર્વથા છેદ કરો.
૪. સૃષ્ટિવિરુદ્ધ અને મુખ દ્વારા મૈથુન કરનારના પણ દીક્ષા પર્યાયને સર્વથા છેદ કરે.
૨૧. સટીક વ્યવહારસૂત્ર ભાષ્ય, તૃતીય ઉદ્દેશક, પ, પર થી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org