SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ ] દર્શન અને ચિંતન અપવાદ કરનારા તટસ્થ યા વીતરાગ રહી શકે છે, બ્રહ્મચર્યના અપવાદમાં એવા સભવ જ નથી; એનેા પ્રસંગ તે રાગ, મેહ કે દ્વેષને જ અધીન છે. વળી એવા કામાચારના પ્રસંગ કાઇના આધ્યાત્મિક હિતને માટે પણ સંભવી નથી શકતા. આવા જ કારણથી બ્રહ્મચર્યના પાલનનુ નિરપવાદ વિધાન કરવામાં આવ્યું છે અને એ માટે દરેક જાતના ઉપાય! પણ બતાવવામાં આવ્યા છે. બ્રહ્મચર્ય'ના ભંગ કરનારાને પ્રાયશ્ચિત્ત તેા આકરાં છે, તેમાં પણ જે જેટલે ઊંચે દરજ્જેથી બ્રહ્મચર્યની વિરાધના કરે છે તેને તેના દરજ્જા પ્રમાણે તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ પ્રાયશ્ચિત્ત કહેલાં છે. જેમકે, કાઈ સાધારણ ક્ષુલ્લક સાધુ અજ્ઞાન અને મેહને વશ થઈ બ્રહ્મચર્યની વિરાધના કરે તો તેનું પ્રાયશ્ચિત્ત એના ક્ષુલ્લક અધિકાર પ્રમાણે ચાજેલું છે. અને કૈાઈ ગીતા ( સિદ્ધાંતને પારગામી અને સમાન્ય) આચાય આવી ભૂલ કરે તો તેનું પ્રાયશ્ચિત્ત પહેલા ક્ષુલ્લક સાધુ કરતાં અનેકગણું વધારે કહેલું છે. લાકામાં પણ આ જ ન્યાય પ્રચલિત છે. કાઈ તદ્દન સામાન્ય માણસ આવી ભૂલ કરે તેા સમાજ એ વિશે લગભગ બેદરકાર જેવા રહે છે, પણ કાઈ કુલીન અને આદર્શ કાટીને માણસ આ પ્રસંગને અંગે સાધારણ પણ ભૂલ કરે તે કદાપિ સમાજ તેને સાંખી લેતા નથી. બ્રહ્મચર્ય ભંગ વિશેના પ્રાયશ્ચિત્તનું વન આપીએ તે પહેલાં કામસ’સ્કારાને અંકુશમાં લાવવાને લગતી વિશેષ હકીકત ટૂંકમાં જણાવી દઈ એ. કાઈ બ્રહ્મચારી બ્રહ્મચય તે પાળતા હોય, તે માટે ઉદ્યમશીલ પણ હાય, છતાં એણે ઊભા થતા પ્રબળતમ કામસંસ્કારને અંકુશમાં કેમ લાવવેા ? એ પ્રશ્નના નિકાલ લાવવા તે ગ્રંથકારો આ પ્રમાણે કહે છે : એવા પરવશ બનેલા બ્રહ્મચારી એ પ્રકારના હાય છેઃ એક તા ગુરુ કે વડીલાના આજ્ઞાધારી અને બીજા સર્વથા સ્વચ્છંદી, જે આજ્ઞાધારી છે તેઓને માટે જ આ નીચેની યોજના છે. આજ્ઞાધારી બ્રહ્મચારી ગુરુની કે વડીલનો સમક્ષ પેાતાની વિદ્વળ સ્થિતિને પ્રકાશિત કરે. પછી ગુરુ એને ઘણા લાંખા સમય સુધી નિર્વિકાર ભાજન ઉપર રાખે. નિર્વિકાર ભાજન એટલે જેમાં ઘી, દૂધ, માખણ, દહીં, ગાળ, મધ, તેલ, ખટાશ, મરચાં વગેરે મસાલાદાર ઉદ્દીપક પદાર્થી લેશ પણ્ ન આવતા હોય. વળી તળેલા એક પણ પદાર્થ તેમાં ન હોય, માંસ અને મદ્ય તા એને વર્જ્ય જ હાય. લાંબા સમય સુધી આવી ચર્યાં રાખ્યા પછી એની વિલતા ન મટે તે એવું જ ભાજન તેને પ્રમાણમાં આછું આછું આપવું; અર્થાત્ શરીરના નિર્વાહને બાધ ન આવે એવી રીતે એને રાજ થાડા ઘેાડા ભૂખ્યા રાખવા. આ પછી પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy