________________
જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર
[પ૩૧ જ સ્વદારસંતોષવ્રતનું યથાર્થ પાલન છે. આ બીજો અર્થ આચાર્ય હરિભદ્રના પંચાશકની વૃત્તિમાં અન્ય મત તરીકે અને સાગારધર્મામૃતની ટીકામાં બીજા અર્થ તરીકે પણ આપે છે. આ બીજા અર્થને ઉભાવક ગમે તે હોય, પણ તે આજની પરિસ્થિતિમાં તે ખાસ ગ્રાહ્ય છે અને એ અર્થની દૃષ્ટિએ આ અતિચારનું વર્જન સર્વથા આવશ્યક છે,
ઉપર કહેલા પાંચ અતિચારો દ્વારા ગૃહસ્થોના શીલન વ્યવહારથી– સ્થૂળદૃષ્ટિથી–આંશિક ભંગ થાય છે, પણ જે શીલને પ્રાણસમું સમજે છે તેનાથી તે તેને આંશિક ભંગ પણ કેમ સહી શકાય ? ખરી રીતે તે તે દરેક અતિચારને શીલનો ધ્વંસક જ સમજવો જોઈએ.
અતિચારનું જ સ્વરૂપ બતાવ્યું છે તે સ્વદારસંતાપી પુચ્છને અંગે જ છે. પતિવ્રતા સ્ત્રી માટે પણ અતિચારે તો તે જ છે, માત્ર તેને લગતા પહેલા અને બીજા અતિચારની વ્યાખ્યામાં ખાસ ફેર છે, જે આ પ્રમાણે છે:
પતિવ્રતા સ્ત્રી પિતાના સ્વીકૃત પતિ સિવાય બીજા કોઈને પતિ સમજવાની કલ્પના સરખી પણ ન કરી શકે...એણે જેવો પતિ મળે તે દેવરૂપ સમજ.” એવા એકાંતિક નિયંત્રણને લીધે એને માટેના ઈવરહિગ્રહીતાગમનની વ્યાખ્યા જુદી કરવામાં આવી છે, જેમકે કોઈ ગૃહસ્થને બે સ્ત્રીઓ હોય અને એમને પિતાના પતિનો પ્રસંગ વારાફરતી કરવાનો હોય, છતાં તે વધુ સમય સુધી પતિનો પ્રસંગ કરવાનો પ્રયત્ન કરે છે તેને માટે ઈવર પરિ. ગૃહીતાગમનને અતિચાર છે.
કેઈ પણ સ્ત્રીને ભૂલથાપથી ગમે તે પ્રકારના પરપુરુષને પ્રસંગ થઈ જાય એ તેને સારુ અપરિગ્રહીતાગમનનો અતિચાર છે. પછીના ત્રણે અતિચારો સ્ત્રી અને પુરુષે એકસરખી રીતે સમજવાના છે. આ બે અતિચારોની જુદી વ્યાખ્યાને લીધે આ વિષયમાં પુરુષને જેટલે નિરંકુશ રહેવા દેવામાં આવ્યો છે તેટલી જ સ્ત્રીને અંકુશમાં રાખવામાં આવી છે, એ હકીકત તરત સમજાઈ જાય છે. સ્વદારસંતિષી પુરુષ વેશ્યાગમન કરે ત્યાં કોઈ એવો બીજી જાતનો પ્રસંગ રાખે તે તેના સ્વદારસંતોષવ્રતનો સર્વથા ભંગ નથી મનાતે, માત્ર તેને અતિચાર જ લાગે છે એમ ધર્મશાસ્ત્ર કહે છે અને સમાજ તો દેશાચાર કે રૂઢિને નામે એનો બચાવ પણ કરી લે છે, ત્યારે પતિવ્રતા સ્ત્રીને પરપુરુષ સાથે બીજું તે કાંઈ નહિ પણ માત્ર હાસ્યને–નિર્દોષ હાસ્યને પ્રસંગ આવી જાય છે તેમાં તેના પતિવ્રત્યને શકિત માનવામાં આવે છે. એટલું જ નહિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org