________________
જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર
[ પર૭ | ૨. જે સ્ત્રી પોતાને માટે અપરિગ્રહીતા-અસ્વીકૃતા છે, જેના લગ્નની પદ્ધતિ સમાજસમ્મત નથી, જે વેશ્યા વગેરે નિયત રીતે અન્યસ્વીકૃત છે એટલે પિતાને માટે અપરિગૃહીત છે, જે એક સમયે પરિગ્રહીતા હોવા છતાં વર્તમાનમાં અપરિગ્રહીતા છે અર્થાત્ જે કોઈ કારણથી પતિથી છૂટી થયેલી છે વા પ્રોષિત પતિકા છે, વિધવા છે, વા ગ્રહિલપતિકા (ગાંડા પતિવાળી?) છે; વળી જે પરિગૃહીતા હોવા છતાં આશ્રિતરૂપે પિતાની છે વા પિતાની દાસી વગેરે છે–એવી તમામ પ્રકારની સ્ત્રીઓ સાથે ભૂલથાપને લીધે વા સ્વદારસષની પૂરી સમજણના અભાવને લીધે જે કામપ્રસંગ બની જાય તે અપરિગ્રહીતાગમન,
૩. ગમે તે સ્ત્રીનાં કામને આશરીને ક્રીડા કરવી, અનુરગપૂર્વક ગમે તે સ્ત્રીને આલિંગવી, પુરુષે પુરુષ સ્ત્રી કે નપુંસક સાથે, સ્ત્રીએ સ્ત્રી પુરુષ કે નપુંસક સાથે અને નપુસકે પણ ત્રણે સાથે કામાચારને લગતા વિચાર કરો, હસ્તકર્મ વગેરે કુચેષ્ટાઓ કરવી, લાકડાનાં કે ચામડાં વગેરેનાં કૃત્રિમ સાધનો દ્વારા કામાચારનું સેવન કરવું; મતલબ એ કે, જે દ્વારા કામરાગને પ્રબળ વેગ વધે એવી કોઈ પણ પ્રવૃત્તિ કરવી તે અનંગક્રીડા.
૪. કન્યાદાનમાં ધર્મ છે એમ સમજીને વા સ્નેહાદિકને કારણે બીજા એને માટે કન્યાઓ કે વરે શોધી આપવાં, વેવાઈઓ અને વેવાણોને મળવું વા એ જ પ્રવૃત્તિ માત્ર કામરાગને લઈને કરવી તે પરવિવાહકરણ.
- ૫. શબ્દ અને રૂપ એ બે કામરૂપ છે. ગંધ, રસ અને સ્પર્શ એ ત્રણે ભેગરૂપ છે. એ પાંચમાં અત્યંત આસક્તિ રાખવી, તથા વાજીકરણ આદિના સેવન દ્વારા વા કામશાસ્ત્રોક્ત પ્રયોગો દ્વારા કામાભિલાષને અધિકાધિક ઉદ્દીપ્ત કરે તે કામગતીત્રાભિલાષ.
આ પાંચ પ્રકારની પ્રવૃત્તિ સ્વદારસંતિષી ગૃહસ્થના શીલને દૂષણરૂપ છે,
કઈ પણ ગૃહસ્થ સ્વદારસંતિષને પૂરેપૂરે વફાદાર રહે તો એ પાંચમાંની એક પણ પ્રવૃત્તિને કદી પણ નહિ આચરે. એવી વફાદારી તે કઈ વિશિષ્ટ વ્યક્તિમાં જ સંભવી શકે છે, પણ જ્યાં સમુદાયના આચારબંધારણને પ્રસંગ આવે છે ત્યાં એ વિચાર સમુદાયની દૃષ્ટિએ અને તત્કાલીન સામાજિક પરિસ્થિતિને લક્ષમાં રાખીને જ કરવાનો હોય છે. આ અતિચારે ઊભા થવામાં પણ એ દષ્ટિ એક નિમિત્તરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org