SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ પર૬] દર્શન અને ચિંતન સર્વથા બ્રહ્મચારીને હસ્તકર્મ અને બીજી એવી કુચેષ્ટાઓ દોષરૂપ છે તથા આગળ પાંચમા પ્રકરણમાં જે દશ સમાધિસ્થાન બતાવ્યાં છે તેમના પાલનમાં જેટલી જેટલી ખામી રહે તે પણ દોષરૂપ છે. એ દેના સેવન દ્વારા બ્રહ્મચર્યને ચે ભંગ છે એ વાત સર્વથા બ્રહ્મચારી પિતાની પ્રતિજ્ઞાને પૂરે મર્મ સમજે છે તે સમજી જ જાય અને એ દેશોને પાસે ફરકવા પણ ન દે. પણ કઈ વક્ર અને જડ એમ સમજે કે આપણી પ્રતિજ્ઞા માં તો માત્ર સ્ત્રી પ્રસંગને ત્યાગ છે, એમાં હસ્તકર્મ વગેરેના નિષેધની વાત ક્યાં આવે છે ? શાસ્ત્રકારે તેવાને બરાબર સમજાવવા ઉપર કહેલા દોષોને અતિચારરૂપ બતાવેલા છે. આંશિક બ્રહ્મચારી એટલે ગૃહસ્થ. તેનું શીલ મોટે ભાગે સ્વદારસતિષ સુધીનું છે. સ્વદારસંતિષને અર્થ પુરુષ કે સ્ત્રી સમાજસમ્મત વિવાહપદ્ધતિએ પિતાના વૈષયિક પ્રેમનું સ્થાન અમુક સ્ત્રી કે અમુક પુરુષને જ બનાવે, પણ એ પ્રેમનો વિષય જે તે કઈ જ્યારે ત્યારે તે ન જ બને એ છે. આ અર્થમાં પરદાર કે પરપુરુષનો ત્યાગ આપોઆપ આવી જાય છે. ઉપરાંત લેકે જેને પરદાર તરીકે નથી સમજતા એવી વેશ્યા, કન્યા કે કુંવારી સ્ત્રી તથા રક્ષિતા સ્ત્રી વગેરેનો અને સમાજને અમાન્ય એવી વિવાહપદ્ધતિએ થતા લગ્નને પણ ત્યાગ આ જ અર્થમાં સમાઈ જાય છે. આમ છતાં સ્વદારસંતોષી હોઈને પણ વિષયવૃત્તિને આધીન થયેલ વર્ગ જાણતાં કે અજાણતાં એવી એવી છૂટે શોધે છે કે જે દ્વારા પ્રતિજ્ઞાન ભંગ ન કહેવાય અને પિતાની વૃત્તિને પિષણ પણ મળે. એવી છૂટે એ ગૃહસ્થના શીલને -અતિચારરૂપ છે, માટે જ એ અનાચરણીય છે. એવી એવી જે છૂટે છે તેનું પાંચ સંખ્યામાં વર્ગીકરણ કરીને શાસ્ત્રકારે દેષોનું જે સ્વરૂપ બતાવ્યું છે તે નીચે પ્રમાણે છે: શાસ્ત્રકારે કહે છે કે ગૃહસ્થના શીલના એવા પાંચ અતિચાર છે: (૧) ઇવરપરિગ્રહીતાગમન, (૨) અપરિગૃહીતાગમન, (૩) અનંગકીડા, (૪) પરવિવાહરણ, (૫) કામગોમાં તીવ્ર અભિલાષ. એ પ્રત્યેકનું સ્પષ્ટ સ્વરૂપ આ પ્રમાણે છે – ૧. જે સ્ત્રીઓ પરદારકેટીની નથી તેમને પૈસા વગેરેની લાલચ આપી અમુક સમય સુધી પોતાની કરવી એટલે સ્વદારકોટીની કરવી અને તેઓની સાથે કામાચારને પ્રત્યક્ષ વ્યવહાર રાખવો. એનું નામ ઇવર પરિગ્રહીતાગમન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy