SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨૪ ] દર્શન અને ચિંતન - ત્યાગ નહિ. એથી એ વ્રત લેનાર સ્ત્રીને પિતાના વિવાહિત પતિ સિવાય કોઈ પણ પુરુષનું સેવન બાધક જ લેખાયું છે, પછી ભલે તે અન્યપુ કઈ બીજી સ્ત્રીને વિવાહિત પતિ હોય, વિધુર હોય કે અવિવાહિત કુમાર હેાય. સંયમશીલ સ્ત્રીના સદ્ભાગ્યે તેના પરપતિત્યાગવતના અર્થમાં જરાયે છૂટ થવાને બદલે ઊલટી તેમાં વધારે નિયમિતતા નકકી કરવામાં આવી છે. તે જેમ જાણવા જેવી છે તેમ સરખામણીમાં આશ્ચર્યજનક પણ છે. સ્વપતિસતિષવત લેનાર સ્ત્રીને જે સપત્ની (શાક) હોય તે સપત્નીના વારાને દિવસે પિતાના વિવાહિત પતિ સુધ્ધાને ત્યાગ સૂચવવામાં આવ્યો છે અને તેને ભોગ બનને બાધક માનવામાં આવ્યું છે. જ્યારે સ્વદારસતિષત્રત લેનાર પુરુષ જે અનેક પત્નીઓને સ્વામી હોય અને એક સ્ત્રીના વારાને દિવસે બીજી સ્ત્રીને ભેગ પસંદ કરે તે તેને માટે કાંઈ વિધિનિષેધ સૂચવાયો નથી. આ રીતે પુરુષના અપૂર્ણ બ્રહ્મચર્યવ્રતમાંથી અનેક ફાંટાઓ પડ્યાને ટૂંકે ઈતિહાસ છે. સર્વ બ્રહ્મચર્ય તે નવે પ્રકારનું બ્રહ્મચર્ય અને દેશ બ્રહ્મચર્ય તે આંશિક બ્રહ્મચર્ય. તેનું વધારે સ્વરૂપ આ પ્રમાણે છે: મન, વચન અને શરીર એ પ્રત્યેક દ્વારા સેવવું, સેવરાવવું અને સેવનની અનુમતિ આપવી એ નેવે કેરીથી સર્વ બ્રહ્મચારીને કામાચારને ત્યાગ હોય છે. સાધુ કે સાધ્વી તે સંસારને ત્યાગ કરતાં જ એ નવે કેટીના પૂર્ણ બ્રહ્મચર્યને નિયમ લે છે અને ગૃહસ્થ પણ તેને અધિકારી થઈ શકે છે. પૂર્ણ બ્રહ્મચર્યની એ નવે કેટી ઉપરાંત એ પ્રત્યેક કોટીને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા પણ છે. એ દરેક મર્યાદા ક્રમશઃ આ પ્રમાણે છે: કઈ પણ સજીવ કે નિર્જીવ આકૃતિઓ સાથે નવે કેટીથી કામાચારનો નિષેધ એ દ્રવ્યમર્યાદા. ઉપરનો લોક, નીચેને લોક અને તિરછો લેક એ ત્રણેમાં નવે કેટીએ કામાચારનો ત્યાગ એ ક્ષેત્રમર્યાદા. દિવસે, રાત્રિએ કે એ સમયના કોઈ ભાગમાં એ જ નવે કેટીથી કામાચારનો નિષેધ એ કાળમર્યાદા અને રાગ કે દ્વેષથી એટલે માયા, લેભ, દ્વેષ કે અહં. કારના ભાવથી કામાચારો નવે કેટીથી ત્યાગ એ ભાવમર્યાદા. આંશિક બ્રહ્મચર્યને અધિકારી ગૃહસ્થ જ હોય છે. એને પિતાના કુટુંબ ઉપરાંત સામાજિક જવાબદારી હોય છે, અને પશુપક્ષીના પાલનની પણ ચિંતા હોય છે. એટલે એને વિવાહ કરવા-કરાવવાના પ્રસંગે અને પશુપક્ષીને ગર્ભાધાન કરાવવાના પ્રસંગો આવ્યા જ કરે છે. આ કારણથી ગૃહસ્થ એ નવે કેટીનું બ્રહ્મચર્ય બહુ વિરલ રીતે પાળી શકે છે. આગળ જે નવ કેટીઓ બતાવી છે તેમાંની મન, વચન અને શરીરથી અનુમતિ આપવાની ત્રણ કોટીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy