SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ [ પર૩. જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર કારણ કે સ્વદારસંતિષવ્રતને ધ્વનિ પરસ્ત્રીત્યાગ તરફ છે, અને વેશ્યા એ કાંઈ પરસ્ત્રી તે નથી જ. એ તે સાધારણ સ્ત્રી હોવાથી જે બીજાની હાય. તે પિતાની પણ છે જ. માટે સ્વદારસંતિવ્રતની મર્યાદામાં વેશ્યાસેવન બાધક શાને ગણવું જોઈએ ? પુરુષના આ એક કુટિલ પ્રશ્નને લીધે સ્વદારસંતિષવતમાંથી પરદારયાગનો જન્મ થયો અને સ્વદારસંતવ્રત તેમ જ પરદારત્યાગવૃત એ બેના અર્થમાં આપોઆપ ભેદ નિશ્ચિત છે. - જ્યારે અપૂર્ણ બ્રહ્મચર્ય લેનાર પુરુષ માટે સ્વદારસંતિષ અને પરદારત્યાગ એ બે જુદાં કલ્પાયાં ત્યારે અર્થભેદની કલ્પના આ રીતે કરીઃ જે પોતાની વિવાહિત સ્ત્રીમાં જ સંતુષ્ટ રહેવા ઈછે તે સ્વદારતેષ વ્રત લે. એ વ્રત લેનાર જેમ પરસ્ત્રી ને એવી શકે તેમ વેશ્યસેવન પણ ન કરી શકે, પરંતુ જે વિવાહિત સ્ત્રી ઉપરાંત વેશ્યાસેવન તજવા ન ઈચ્છે, માત્ર અન્ય પુરુષોએ પરણેલી એવી સ્ત્રીઓને જ ત્યાગ કરવા ઈચ્છે તે પરદારત્યાગવત લે. એ વ્રત લેનારને સ્વવિવાહિત સ્ત્રી અને સાધારણ વેશ્યા એ બન્નેને ભોગ બાધક નથી ગણુ. તેને ફક્ત પરવિવાહિત સ્ત્રીને ભોગ જ બાધક ગણાયેલું છે. આ રીતે એક જ કાયદામાંથી અનેક અર્થો નીકળે છે તેમ પુરૂને એક જ ગંભીર સ્વરદારસંતોષવ્રતમાંથી બે અર્થવાળાં બે વતો જમ્યાં. પણ પુરુષનું પલ્પ કાંઈ એટલેથી જ અટકે? તેથી વળી તેને શંકા થઈ કે પરસ્ત્રી એટલે જેને વિવાહિત પતિ હોય અને જે પર-પતિનું રક્ષણ મેળવતી હોય છે. પરસ્ત્રીની આ વ્યાખ્યામાં કુમારી સ્ત્રીને, વિધવાનો કે જેનો પતિ ક્યાંય ચાલ્યો ગયો હોય (પ્રેષિતભર્તૃકા). તેવી સ્ત્રીને સમાવેશ થઈ ન શકે અને તેથી પરદારત્યાગનું વ્રત લેનારને તેવી કુમારી કન્યા, વિધવા કે પ્રેષિતભર્તૃકા સ્ત્રીને ભેગ બાધક શા માટે ગણા, જોઈએ ? પુરુષની આ શંકા પરંપરાએ પરદારત્યાગવતમાંથી બીજા અનેક તો જન્માવવાની પરિસ્થિતિ ઉત્પન્ન કરી, પણ દીર્ધદષ્ટિ આચાર્યોએ અનવસ્થાપના ભયથી બીજાં નવાં તેની કલ્પના અટકાવી અને એ શંકાનું નિવારણ બીજી જ રીતે કર્યું. પરંતુ આર્યાવર્તની સ્ત્રીને શંકાજનક તો પુરુષ એટલે વાર નથી મળ્યો, એટલે તેના સ્વપતિસતિષવતને અર્થ ચોક્કસ અને એકસરખો રહ્યો છે. તેને લીધે ભારતવર્ષની સાધ્વી સ્ત્રીઓને પુરુષની પૂર્વોક્ત કલ્પનાની પેઠે. એવી કલ્પના ન જ ઊગી કે પરપતિત્યાગ એટલે જે કોઈ પુરુષ કેઈ સ્ત્રીને પંચસાક્ષિક પતિ છે તેને જ માત્ર ત્યાગ અને જે કુમાર છે, વિધુર છે અથવા કેઈ સ્ત્રીને નિયત પતિ નથી પણ ગણિકા જેવો અનિયત છે એ બધા પુરુષોને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy