SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ પર૨ ] દર્શન અને ચિંતન તેમાં બારીઓ શોધાતી ગઈ તેમ તેમ તે વ્રતની ઝીણવટ વધતી ગયાને ઈતિહાસ પણ બહુ મનોરંજક અને મહત્ત્વ છે. પ્રાચીન કાળના સીધા, સરળ અને છતાં ગંભીર વર્ણન ઉપરથી એમ ચેખું લાગે છે કે અપૂર્ણ બ્રહ્મચર્યનાં ઉમેદવાર સ્ત્રી અગર પુરુષ સતિષ કેળવવા કામવૃત્તિની મર્યાદા બાંધતાં. આર્યાવર્તમાં પુરુષને ગમે તેટલી સ્ત્રીઓ કરવામાં ન હતો કઈ બાહ્ય અંકુશ કે ન હતે કોઈ સામાજિક પ્રતિષ્ઠા જવાનો ભય. જ્યારે સામાન્ય રીતે સ્ત્રીને એકથી બીજો પતિ કરવામાં એક તરફ સામાજિક પ્રતિષ્ઠા ઓછી થવાને ભય હતો અને બીજી તરફ બાહ્ય અંકુશો પણ હતા. આ કારણથી અપૂર્ણ બ્રહ્મચર્ય સ્વીકારનાર વ્યક્તિ જે પુરૂ હોય તે પોતાની ઈચ્છા પ્રમાણે અમુક સ્ત્રીઓના ભોગની મર્યાદા બાંધી તેથી અન્ય સ્ત્રીના ભોગનો ત્યાગ કરતે. ખાનદાની અને ધર્મનિષા, એવા પુરુષને સંખ્યામાં ગમે તેટલી છતાં સ્વવિવાહિત સ્ત્રીઓના ભોગની મર્યાદા બાંધવા પ્રેરતાં. પુરુષની એ મર્યાદા જૈન શાસ્ત્રોમાં “સ્વદારસંતિષ વ્રતને નામે પ્રસિદ્ધ છે. પરંતુ અપૂર્ણ બ્રહ્મચર્યવ્રતની ઉમેદવાર સ્ત્રી હોય તે તે પોતાના વિવાહિત એક પતિ સિવાય અન્ય પુરુષના ભોગને ત્યાગ કરતી. એને એ ત્યાગ “સ્વપતિસંપ' વ્રતને નામે જૈન સમાજમાં જાણીતા છે. પુસ્પનું સ્વદારતેવવ્રત અને સ્ત્રીનું સ્વપતિસંતોષવ્રત એવા બે ભેદ સામાન્ય રીતે અપૂર્ણ બ્રહ્મચર્યવ્રતના પડે છે. અંતઃકરણમાં રહેલી સારી ધર્મનિષ્ઠા જે માણસને સંયમની દિશામાં પ્રેરે છે તો તેની સાથે રહેવા પામેલી ઓછીવત્તી વાસનાઓ તેને કાં તે અસંયમની. દિશામાં અગર સ્વીકારેલ નિયમમાં બારીઓ અને છૂટ શોધવા તરફ પ્રેરે છે. સાહસવૃત્તિ, તર્કવૃત્તિ અને નિરંકુશતાનો જોગ જે ધર્મનિષ્ઠા સાથે થાય તે તેમાંથી સંયમનાં ફળ જન્મે છે. અને જે તેમને જે વાસના અને ખાસ કરી કામવાસના સાથે થાય છે તેમાંથી અસંયમ જ નહિ પણ સ્વીકારેલ સંયમમર્યાદા સુધ્ધાંમાં અનેક છૂટોની શોધને પરિણામે ભયંકર અધઃપાત પણ જન્મે છે. જોકે પુરૂષના સ્વદારસંતોષ વ્રતમાં બે, પાંચ કે દશ જ નહિ પણ સેંકડો અને હજારે સ્વવિવાહિત સ્ત્રીઓના ભાગનો સમાવેશ થવા જેટલું અવકાશ આર્યાવર્તની લગ્નપ્રથાને લીધે હતે જ, છતાં સાહસ, તર્ક અને નિરંકુશતાએ પુને પ્રશ્ન કરાવ્યો કે વેશ્યા જેવી સર્વસાધારણ સ્ત્રી, જે અન્ય દ્વારા વિવાહિત નથી, તેને પિસા કે બીજી લાલચથી છેડા વખત સુધી પિતાની સ્ત્રી જ માની ભોગવવામાં સ્વદારસંતિવ્રતને ભંગ શા માટે ગણવો જોઈએ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy