SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર [ પ૧૯ ક્રિયામાર્ગનાં બાહ્ય વિધાને તદ્દન જુદાં જ કરવામાં આવ્યાં છે તેમ જ્ઞાનમાર્ગનાં આંતરિક વિધાને ફક્ત એ વ્રતને ઉદેશી જુદાં પાડી ક્યાંય કહેવામાં આવ્યાં નથી; પણ ક્રોધ, મોહ, લેભાદિ બધા સંસ્કારોને નાબૂદ કરવા જે જ્ઞાનમાર્ગ જાય છે તે જ કામસંસ્કારના નાશમાં પણ લાગુ પડે છે. માત્ર ક્રિયામાર્ગથી મળતું રક્ષણ ઐકાંતિક (પૂરેપૂરું) કે આત્યંતિક (હંમેશનું) ન હોઈ શકે, કારણ કે તે દોષદર્શનથી થયેલું હોવાથી દોષદષ્ટિ બદલાતાં ભાગ્યે જ રહી શકે. જ્યારે જ્ઞાનમાર્ગથી મળતું રક્ષણ ઐકાંતિક અને આત્યંતિક હોય છે, કારણ કે તે રક્ષણ સ્વરૂપચિંતન અથવા આત્મવિવેકમાંથી ઉત્પન્ન થયેલું હોવાને લીધે કદી નાશ પામતું નથી અને સાહજિક ભાવે સિદ્ધ થાય છે. - ક્રિયામાર્ગમાં આવતાં દશ સમાધિસ્થાનોનું વર્ણન ઉત્તરાધ્યયનસૂત્રના સેળમા અધ્યયનમાં બહુ માર્મિક રીતે કરવામાં આવ્યું છે. તેનો સાર આ પ્રમાણે છે : ૧. દિવ્ય કે માનુષી સ્ત્રીના, બકરી, ઘેટી વગેરે પશુના અને નપુંસકના સંસર્ગવાળાં શયન, આસન અને રહેઠાણ વગેરેને ઉપયોગ ન કરવો. ૨. એકલા એકલી સ્ત્રીઓની સાથે સંભાષણ ન કરવું. માત્ર સ્ત્રીઓને કથાવાર્તા વગેરે ન કહેવાં અને સ્ત્રીકથા ન કરવી, એટલે કે સ્ત્રીનાં જાતિ, કુળ રૂપ અને વેશ વગેરેનું વર્ણન કે વિવેચન ન કરવું. ( ૩. સ્ત્રીઓની સાથે એક આસને ન બેસવું. જે આસને સ્ત્રી બેઠેલી હોય ત્યાં તેના ઊઠયા પછી પણ બે ઘડી સુધી ન બેસવું. ૪. સ્ત્રીઓનાં મનોહર નયન, નાસિકા વગેરે ઈન્દ્રિયોનું વા તેઓનાં અંગેપાંગનું અવલોકન ન કરવું અને તે વિશેનું ચિંતન-મરણ પણ વજેવું. ૫. સ્ત્રીઓના રતિપ્રસંગના અવ્યક્ત શબ્દો, રતિકલહના શબ્દો, ગીતના ધ્વનિઓ, હાસ્યના કિલકિલાટે, ક્રીડાના શબ્દો અને વિરહ સમયે રુદનના શબ્દો પડદા પાછળ રહીને કે ભીંતની આડમાં રહીને પણ ન સાંભળવા. ૬. પૂર્વે અનુભવેલી, આચરેલી, કે સાંભળેલી રતિક્રીડા, કામક્રીડા વગેરે ન સંભારવાં. ૭. ધાતુને વધારનારાં પૌષ્ટિક ખાનપાન ન લેવાં. ૮. સાદુ ખાનપાન પણ પ્રમાણથી અધિક ન લેવું. ૯. શણગાર ન જવો; એટલે કે કામરાગને ઉદ્દેશીને સ્નાન, વિલેપન, ધૂપ, માલ, વિભૂષણ કે વેશ વગેરેની રચના ન કરવી. - ૧૦. જે શબ્દો, રૂપ, રસ, ગધે, અને સ્પર્શી કામગુણને જ પિષનારાં હોય તેઓને વર્જવાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy