________________
પ૮]
દર્શન અને ચિંતન આદિ ઉદ્દેશે ખરા મોક્ષસાધક આદર્શ બ્રહ્મચર્યમાંથી સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. | બ્રહ્મચર્યને સંપૂર્ણપણે સિદ્ધ કરવા બે માર્ગો નક્કી કરવામાં આવ્યા છેઃ પહેલે ક્રિયામાર્ગ અને બીજો જ્ઞાનમાર્ગ. ક્રિયામાર્ગ વિધી કામસંસ્કારને ઉત્તેજિત થતું અટકાવી તેના સ્થલ વિકારવિષને બ્રહ્મચર્યજીવનમાં પ્રવેશવા નથી દે; અર્થાત્ તેની નિષેધબાજુ સિદ્ધ કરે છે, પણ તેનાથી કામસંસ્કાર નિર્મળ થતું નથી. જ્ઞાનમાર્ગ એ કામસંસ્કારને નિર્મૂળ કરી બ્રહ્મચર્યને સર્વથા અને સર્વદા સ્વાભાવિક જેવું કરી મૂકે છે; અર્થત તેની વિધિબાજુ સિદ્ધ કરે છે. જૈન પરિભાષામાં કહીએ તો ક્રિયામાર્ગથી બ્રહ્મચર્ય ઔપશમિકભાવે સિદ્ધ થાય છે, અને જ્ઞાનમાર્ગથી ક્ષાયિકભાવે સિદ્ધ થાય છે. ક્રિયામાર્ગનું કાર્ય જ્ઞાનમાર્ગની મહત્ત્વની ભૂમિકા તૈયાર કરવાનું હોવાથી તે માર્ગ વસ્તુતઃ અપૂર્ણ છતાં પણ બહુ ઉપયોગી મનાય છે, અને દરેક સાધક માટે પ્રથમ આવશ્યક હોવાથી તેના ઉપર જૈન શાસ્ત્રમાં બહુ જ ભાર મૂકવામાં આવ્યો છે. એ ક્રિયામાર્ગમાં બાહ્ય નિયમોનો સમાવેશ થાય છે. એ નિયમોનું નામ ગુપ્તિ છે. ગુપ્તિ એટલે રક્ષાનું સાધન અર્થાત વાડ. એવી ગુપ્તિઓ નવ ગણાવવામાં આવી છે. એક વધુ નિયમ એ ગુપ્તિઓમાં ઉમેરી એમને જ બ્રહ્મચર્યનાં દશ સમાધિસ્થાનક તરીકે વર્ણવવામાં આવ્યાં છે. એનિષેધાત્મક સમાધિસ્થાનેને બ્રહ્મચારી પાસે પળાવવા જે રીત જૈન શાસ્ત્રમાં અખત્યાર કરવામાં આવી છે તે ભારતવર્ષનાં બીજાં દર્શનમાં પણ પ્રસિદ્ધ અને જૂની છે. બ્રહ્મચર્યના ઉમેદવાર પુરુષને સ્ત્રી જાતિના આકર્ષણથી મુક્ત રાખવા તેને સ્ત્રીકલેવર તરફ પ્રબળ ધૃણા થાય, સ્ત્રીસ્વભાવમાં દોષ દેખાય અને ત્રીજાતિ મૂળથી જ દેષની ખાણરૂપ છે એવી પ્રતીતિ થાય તે માટે કરવું જોઈતું બધું વર્ણન શાસ્ત્રમાં છે. તે ઉપરાંત સમાજભય, રાજભય અને પરલેકભય દ્વારા તેમ જ કીર્તિ, પ્રતિષ્ઠાની સિદ્ધિ અને દેવી સુખના પ્રલેભન દ્વારા પણ એ ઉમેદવાર બ્રહ્મચર્યને વળગી રહે તે માટે અભુત વર્ણન અને કલ્પનાઓ છે. ક્રિયામાર્ગ દ્વારા બ્રહ્મચર્યને પૂલ રક્ષણ ગમે તેટલું મળતું હોય, છતાં તેમાં કામસંસ્કાર કાયમ રહેતા હોવાથી અને એમાં ઘણ, ભય, લેભ આદિ બીજી અનિષ્ટ વૃત્તિઓ પોષાતી હોવાથી એ માર્ગની અપૂર્ણતા દૂર કરવા જ્ઞાનમાર્ગ યોજવામાં આવ્યો છે. જ્ઞાનમાર્ગમાં ધ્યાનનું સ્થાન મુખ્ય છે. ધ્યાન દ્વારા વિચારવિકાસ અને સ્વરૂપચિંતન સધાતા કામાદિ બધી અનિષ્ટ વૃત્તિઓનાં બીજે બળી જાય છે. ધ્યાનનાં પ્રકારોમાં શુકલ નામક ધ્યાન ઊંચ કોટિનું છે. તે યોગદર્શનપ્રસિદ્ધ સંપ્રજ્ઞાત અને અસપ્રજ્ઞાત સમાધિને સ્થાને છે. જેમ ફક્ત બ્રહ્મચર્યવ્રત માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org