________________
જૈન દૃષ્ટિએ બ્રહ્મચર્ચાવિચાર
[ ૫૧૭
સમજી શકવાથી અને નનિષેધની ગુરુની આજ્ઞાના શબ્દોને જ વળગી રહેવાને કારણે તેઓને નટીને નાચ જોવામાં બાધ ન સમજાયા. પણ તે સરળ હતા, માટે જ રસ્તામાં ખનેલા પ્રસંગ એમણે ગુરુને નિવેદિત કર્યાં. એટલે ગુરુએ એમને માટે એ જુદી આજ્ઞા કરી કે સાધુઓથી નટ ન જોવાય અને નટી પણ ન જોવાય.
વક્ર અને જડ ભૂમિકાના સાધુએ નટ વિશેની આજ્ઞાના શબ્દને વળગી નટી જોવામાં બાધ ન સમજ્યા. ઉપરાંત ગુરુએ પૂછતાં વક્તાને લીધે ખનેલા અનાવ છુપાવી યાતદ્દા કહેવા લાગ્યા. જ્યારે ગુરુએ ખૂબ ધમકાવ્યા ત્યારે તેઓએ કહ્યું કે તમે તો અમને નટ જોવાને નિષેધ કરેલા; એ પ્રમાણે અમે વર્યાં છીએ. જો તમે પહેલેથી જ નટની સાથે નટીને પણ નિષેધ કર્યો હાત તો અમે એ પ્રમાણે વત. અમે તે તમારા કહ્યા પ્રમાણે જરૂર કરીએ, પણ તમારા ઉપદેશમાં ધડા કયાં છે? આ પ્રમાણે વક્ર અને જડ સાધુએ ગુરુ કે શાસ્ત્રની આજ્ઞાને ખરાબર સમજતા નથી; કદાચ સમજે છે તો પાળતા નથી અને નહિ પાળવા માટે પાતાનો વાંક નહિ ગણતાં ગુરુને દોષી ઠરાવે છે અને ખાટું ખેલતાં પણ અચકાતા નથી. ઋજુ અને પ્રાન અધિકારીએ ચાતુયામથી પણ સયમને પૂરે! મમ સમજી શકે છે, પરંતુ ઋજી-જડ અને વક્ર --જડની કલ્પનામાં ચાર યામથી પાંચ યામને ખ્યાલ આવવા મુશ્કેલ છે. એથી જ એમની વિશેષ સમજને માટે ચારના પાંચ યામ કરવામાં આવ્યા છે અને એ ઉપરાંત રાત્રિભાજનના ત્યાગને પણ એક જુદા વ્રત તરીકે જણાવ્યું છે; અર્થાત્ અધિકારીની મનેદશાના કારણથી ભગવાન મહાવીરે ચારના પાંચ યામ કર્યાં, અને બ્રહ્મચર્ય વ્રતને જુદું સ્થાન આપ્યું. વર્તમાનમાં પણ ત્યાગપ્રધાન અને સેવાપ્રધાન સંસ્થાઓમાં પાંચ યામ ઉપરાંત જે કેટલાક નિયમા અને ઉપનિયમા રાખવાનું ધારણ ચાલે છે તે પણ અધિકારીઓની વિચિત્ર મનેાદશાને લીધે હોય એમ લાગે છે.
૪. બ્રહ્મચર્યનું ધ્યેય અને તેના ઉપાયો
જૈન ધર્માંમાં અન્ય તમામ વ્રતનિયમેાની પેઠે બ્રહ્મચયનું સાધ્ય પણ માત્ર માક્ષ છે. જગતની દૃષ્ટિએ મહત્ત્વની ગણાતી ગમે તે બાબત બ્રહ્મચર્યથી સિદ્ધ થઈ શકતી હાય, પણ જો તેનાથી મેાક્ષ સાધવામાં ન આવે તા જૈન દૃષ્ટિ પ્રમાણે એ બ્રહ્મચય લોકાત્તર ( આધ્યાત્મિક) નથી. જૈન દૃષ્ટિ પ્રમાણે મેક્ષમાં ઉપયોગી થતી વસ્તુ જ સાચું મહત્ત્વ ધરાવે છે. શરીરસ્વાસ્થ્ય, સમાજખંળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org