SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન અને ચિંતન છતાં એમના મહાવ્રતવિધાનમાં ભેદ કેમ દેખાય છે? શું એ બને ધર્મો જુદા જુદા છે?—એ વિશે શ્રમણ ગૌતમ સાથે વિચાર કરી લેવો જોઈએ. એમ ધારીને કેશિકુમાર અને શ્રમણ ભગવાન ગૌતમ એ બન્ને ઉદાર આચાર્યો પિતપોતાના પરિવાર-શિષ્ય પરિવાર–સાથે એક ઉદ્યાનમાં આવી મળ્યા. પાર્શ્વનાથના શ્રમણની વતી શિકુમારે ગૌતમને પૂછયું કે “અમારે આચાર ચાતુર્યામિક છે અને તમારે એ પંચયામિક છે. વર્ધમાન અને પાર્થ એ બન્નેને ઉદ્દેશ તે સમાન જ હતો, છતાં આ ફેરફારનું કારણ શું છે? ભલા તમને એમાં વિરોધ નથી લાગતો ? ગૌતમે આને ઉત્તર આપતાં એમ જણાવ્યું કે “હે મહાનુભાવ, આચારના પાલનના ઉપદેશનું બંધારણ તે તે સમયના જનસમાજની પરિસ્થિતિને અવલંબીને બાંધવામાં આવે છે. પાર્શ્વનાથની પરંપરાના શ્રમણ ઋજુ (સરળ) અને પ્રાજ્ઞ (વિચક્ષણ) છે અને અમારી તથા શ્રી ત્રાષભદેવની પરંપરાના શ્રમણે વક્ર (આડા) અને જડ તથા ઋજુ અને જડ છે. આ પ્રકારે તે તે શ્રમણોની મનભૂમિકાના ભેદને લીધે એકને ચાર યામને ઉપદેશ કરવામાં આવ્યો છે અને બીજાને પાંચ યામને.” ગૌતમને આ ઉત્તર સાંભળી કેશિને વિરોધ શમી ગયે અને પરિસ્થિતિ પ્રમાણે એમણે અને એમની પરંપરાએ ચારને બદલે પાંચ વામનો સ્વીકાર કર્યો. કેશી અને ગૌતમના સંવાદ ઉપરથી આપણે એમ તારવી શકીએ છીએ કે મનુષ્યોની ત્રણ કેટી હોય છે: (૧) ઋજુ અને પ્રાજ્ઞ, (૨) ઋજુ અને જડ, (૩) વક્ર અને જડ. એક જ હકીકતને આ ત્રણે કોટીના મનુષ્ય કેવી જુદી જુદી રીતે સમજે છે તે માટે નીચેનું નટનટીનું ઉદાહરણ આપવામાં આવે છે– કેટલાક ઋજુ–પ્રાજ્ઞ શ્રમણે બહાર ગયેલા. ત્યાં એમણે રસ્તા વચ્ચે. નટને રમત જે. તેને ખેલ જોઈને તેઓ વિલંબથી પિતાને સ્થાનકે આવ્યા. ગુએ વિલંબનું કારણ પૂછ્યું તે તેઓએ જે હકીકત હતી તે જણાવી દીધી. ગુરુએ કહ્યું કે નટ જેવાને આપણે આચાર નથી. ફરીવાર તે જ શ્રમણે બહાર ગયા. તેમણે રસ્તા વચ્ચે નટીને નાચ તે જોયો, પરંતુ તેઓ ત્યાં બેટી ન થતાં પિતાને સ્થાનકે ચાલ્યા ગયા, કારણ કે તેઓ પ્રાજ્ઞ હતા એટલે નટના નિષેધમાં નદીને નિષેધ સમજી ગયા હતા. આવે જ પ્રસંગે ઋજુ અને જડ પ્રકૃતિને શ્રમણો એ વસ્તુને નહિ ૧૨. જુઓ ઉત્તરાધ્યયનસૂત્રનું તેવીસમું કેશિગૌતમીય અધ્યયન તથા કલ્પસૂત્રસુબોધિકા ટી પૃ. ૪ થી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy