SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ પર૦ ] દર્શન અને ચિંતન આ ઉપરાંત કામોદ્દીપક હાસ્ય ન કરવું, સ્ત્રીનાં ચિત્રે ન રાખવાં, ન જેવાં, અબ્રહ્મચારીને સંગ ન કર વગેરે બ્રહ્મચારીએ ન કરવા જેવી બીજી અનેક જાતની ક્રિયાઓ આ દશ સ્થાનમાં સમાઈ જાય છે. - સૂત્રકાર કહે છે કે પૂર્વોક્ત નિષિદ્ધ પ્રવૃત્તિમાંની કોઈ પણ પ્રવૃત્તિ કરનાર બ્રહ્મચારી પિતાનું બ્રહ્મચર્ય તે ખાશે જ, તદુપરાંત એને કામજન્ય માનસિક કે શારીરિક રોગો પણ થવાનો સંભવ છે. - બ્રહ્મચારી પણ રહે છે તે જનસમાજમાં જ, એટલે એની આંખે રૂપ અને કાને શબ્દો વગેરે ન આવે એ તો ન જ બને; તે હવે શું એણે જનસમાજમાં ન રહેવું ? રૂપિ, શબ્દો વગેરેને ન આવવા દેવાં ? કે આંખે અને કાને પડદા રાખવા? સૂત્રકારે આને ઉત્તર કે પણ સચોટ રીતે આપેલો છે, જે આ રીતે ૧૩ છે : આંખે આવતાં રૂપોનો અને કાને પડતા અવનિ વગેરેને પરિહાર શક્ય જ નથી, પણ તેને પ્રસંગે એ રૂપ કે શબ્દો વગેરેને લીધે પોતાની પ્રવૃત્તિમાં રાગને કે દ્વેષને ન થવા દેવો, અર્થાત્ એવે વખતે બ્રહ્મચારીએ વસ્તુસ્વભાવનું ચિંતન કરવું યા તે સર્વથા ઉદાસીન રહેવું. સ્પર્શી, ગંધ અને રસ માટે એ ન્યાય ધટાવી લે. ઉપર્યુક્ત સમાધિસ્થાને ઉપરાંત બ્રહ્મચારી ભિક્ષભિક્ષણીઓ માટે બીજાં પણ કેટલાંક વિધાનો કરવામાં આવ્યાં છે, જેમ કે ૪ પથારી કઠણ રાખવી, પથારી ઉપરને ઓછાડ સુંવાળા કપડાંને ન રાખ, સુંવાળાં વસ્ત્રો ન પહેરવાં, ભિક્ષુએ હાથાવાળાં આસનો પર ન બેસવું અને આખું કેળું ન લેવું, ભિક્ષુએ સાંકડા નાં પાત્રો ન રાખવાં, વગેરે વગેરે. પ. બ્રહ્મચર્યના સ્વરૂપની વિવિધતા અને તેની વ્યાપ્ત ઉપર આપેલી બીજી વ્યાખ્યા પ્રમાણે કામસંગના ત્યાગરૂપ બ્રહ્મચર્યને જે ભાવ સાધારણ લેકે સમજે છે તે કરતાં ઘણો સુક્ષ્મ અને વ્યાપક ભાવ જૈન શાસ્ત્રોમાં લેવાય છે. જ્યારે કઈ વ્યક્તિ જૈન ધર્મની મુનિરીક્ષા લે છે ત્યારે ૧૩ “ા હવા, ન તો સદા (?) સવિલયમાચા रागदोषा उ जे तत्थ तं भिक्खू परिवज्जए । ण सक्का स्वमहळु चक्खुविसयमागय । रागदोषा उ जे तत्थ तं भिक्खू परिवज्जए॥' : ઈત્યાદિ, આચાશંગસૂત્ર વિમુક્તિ-અધ્યયન છેલ્લું. ૧૪. જુઓ કલ્પસૂત્ર પંચમ ઉદ્દેશ, સૂ. ૧૫-૪૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy