________________
દર્શન અને ચિંતન થયા પછી કેશા વિસ્થાએ પિતાને ત્યાં આવેલા અને ચંચળ મનના થયેલા શ્રી સ્થૂલભદ્રના એક ગુભાઈને જે શિખામણ આપી સ્થિર કર્યાની વાત ધાઈ છે, તે પડતા પુરુષને એક ભારે કામ આપે તેવી અને સ્ત્રી જાતિનું ગૌરવ વધારે તેવી છે. પણ આ બધાઓમાં સૌથી ચડે તેવો દાખલે વિજય શેઠ અને વિજયા શેઠાણનો છે. એ બન્ને દમ્પતી પરણ્યાં ત્યારથી જ એકશયનશાયી છતાં પિતાપિતાની શુક્લ અને કૃષ્ણ પક્ષમાં બ્રહ્મચર્ય પાળવાની પ્રથમ લીધેલ જુદીજુદી પ્રતિજ્ઞા પ્રમાણે એમાં પ્રસન્નતાપૂર્વક આખી જિંદગી અડગ રહ્યાં અને હંમેશને માટે સ્મરણીય બની ગયાં. એ દંપતીની દઢતા, પ્રથમ દંપતી અને પાછળથી ભિક્ષુકજીવનમાં આવેલ બૌદ્ધ ભિક્ષુ મહાકાશ્યપ અને ભિક્ષણ ભદ્રાકપિલાની અલૌકિક દઢતાને યાદ કરાવે છે. આવાં અનેક આખ્યાને જૈન સાહિત્યમાં નોંધાયેલાં છે. એમાં બ્રહ્મચર્યથી ચલિત થતા પુરુષને સ્ત્રી દ્વારા સ્થિર કરાયાના જેવા ઓજસ્વી દાખલાઓ છે તેવા ઓજસ્વી દાખલાઓ ચલિત થતી સ્ત્રીને પુરુષ દ્વારા સ્થિર કરાયાના નથી, અથવા તદ્દન વિરલ છે.
૩. બ્રહ્મચર્યના જુદાપણાને ઈતિહાસ
જૈન પરંપરામાં ચાર અને પાંચ યમોના (મહાવ્રતના) અનેક ઉલ્લેખે મળે છે. સૂત્રોમાં આવેલાં વર્ણને ઉપરથી સમજાય છે કે ભગવાન પાર્શ્વનાથની પરંપરામાં ચાર યામ (મહાવ્રતો)ને પ્રચાર હતો, અને શ્રી મહાવીર ભગવાને તેમાં એક યામ (મહાવ્રત) વધારી પંચયામિક ધર્મને ઉપદેશ કર્યો. આચારાંગસૂત્રમાં
૭. જુઓ ઉપર ટિપ્પણુંક. ૮. જુઓ વિજય શેઠ અને વિજયા શેઠાણની કથા.
૯. મહાકાશ્યપ અને ભદ્રાકપિલાની હકીક્ત માટે જુઓ બૌદ્ધ સંધને પરિચચ પૃ. ૧૯૦ તથા પૃ. ૨૭૪.
१०. 'पच्छिमवज्जा, मज्झिमगा बावीसं अरिहन्ता भगवंता चाउज्जामं धम्मं पण्णवेंति । तं जहा (१) सव्वतो पाणातिवायाओ
મળ, (૨) પુર્વ મુરાવા મળ, (૨) લડ્યા શિસળગો રમi, (૪) અશ્વો વાિવાળો મળે (આમાં ચાર યામને ઉલ્લેખ છે.)
–-સ્થાનાંગસૂત્ર, પૂ. ૨૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org