________________
જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર
[૫૧૭ તેને પ્રભાવે એ કેશાને પાકી બ્રહ્મચારિણી બનાવી. જેના પરમપૂજ્ય તીર્થકરમાં સ્થાન પામેલ મલ્લિનાથ એ જાતે સ્ત્રી હતાં. તેઓએ કૌમાર અવસ્થામાં પિતાની ઉપર આસક્ત થઈ પરણવા આવેલા છ રાજકુમારને માર્મિક ઉપદેશ આપી વિરક્ત બનાવ્યા અને છેવટે બ્રહ્મચર્ય લેવરાવી પોતાના અનુયાયી બનાવી ગુરુપદ માટે સ્ત્રી જાતિની યોગ્યતા સાબિત કર્યાની વાતY જૈનેમાં ખૂબ જાણીતી છે. બાવીસમા તીર્થંકર નેમિનાથ ચેરીમાં ફેરા ફર્યા પહેલાં જ ત્યાગેલી અને પછી સાધ્વી થયેલી રાજકુમારી રાજીમતીએ ગિરનારની ગુફાના એકાન્તમાં પિતાના સૌન્દર્યને જોઈ બ્રહ્મચર્યથી ચલિત થતા સાધુ અને પૂર્વાશ્રમના દિયર રથનેમિને બ્રહ્મચર્યમાં સ્થિર થવા જે માર્મિક ઉપદેશ આપે છે અને તે વડે રથનેમિને પાછા સ્થિર કરી હમેશને માટે ત્રિી જાતિ ઉપર મુકાતા ચંચળતા અને અબલાત્વના આપને દૂર કરી ધીર સાધકેમાં જે વિશિષ્ટ નામના મેળવી છે તે સાંભળતાં અને વાંચતાં આજે પણ બ્રહ્મચર્યના ઉમેદવારોને અભુત શૈર્ય અર્પે છે. બ્રહ્મચારિણું શ્રાવિકા
પ. જુઓ વિષ્ટિ ચરિત્ર પર્વ ૬, સર્ગ ૬. જ્ઞાતાસૂત્ર: મલ્લિઅધ્યયન પૃ. ૧૪૬ થી તથા ભગવાન મહાવીરની ધર્મકથાઓઃ મલ્લિ. પૃ. ૭૦
૬. રામતી અને રથનેમિના વૃત્તાંત માટે જુઓ ત્રિષષ્ટિ ચરિત્ર પર્વ ૮, સર્ગ ૯; ઉત્તરધ્યયનસૂત્ર : રથનેમીય અધ્યયન ૨૨ તથા દશવૈકાલિક સૂત્ર અધ્યયન ૨.
રાજીમતી ઉપર મુગ્ધ થયેલા રથનેમિને તેણે જે જે માર્મિક વચને કહ્યાં છે તેને સાર આ પ્રમાણે છે :
તું રૂપમાં ભલે વૈશ્રમણ-કુબેર હે, લાલિત્યમાં ભલે નળ હો, અરે, ભલે ને સાક્ષાત્ ઈન્દ્ર છે, તે પણ તને હું ઇચ્છું જ નહિ.
હે કામી પુરુષ! તારી ખાનદાની ક્યાં ગઈ? તું યાદવકુળનો હેઈને પણ સંયમથી ભ્રષ્ટ થાય છે અને મારી વાંછા કરે છે ! આ કરતાં તે તું મર એ વધારે સારું છે, તું જરા વિચાર તો કર કે તું અંધક્ટ્રષ્યિનો ખાનદાન છે અને હું ભેગરાજની ખાનદાન છું. માટે કુલાંગાર ન થઈએ એની તું સરત રાખ અને સંયમમાં સ્થિર થા. વળી,
જ્યાંત્યાં સ્ત્રીઓને જોતાં જ તું આવી રીતે ચલિત થયા કરીશ તે તે તારે સંયમ જ નહિ રહે અને તું વાયુથી કંપતા ઝાડની પેઠે હમેશાં અસ્થિર જ રહ્યા કરીશ, જે ભેગેને તેં તજેલા છે તે તો વમેલા અન્ન સમા છે, તે શું કઈ પુરુષ વમેલું અન્ન કદી પણ ખાશે ખરે?”
આ વચનો સાંભળીને રથનેમિ સંયમમાં સ્થિર થયા. જુઓ દશવૈકાલિસૂત્ર, અધ્યયન ૨. :
૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org