________________
ધ૧૦ ]
દર્શન અને ચિંતન (૫) બ્રહ્મચર્યના સ્વરૂપની વિવિધતા અને તેની વ્યાપ્તિ. (૬) બ્રહ્મચર્યના
અતિચારે. (૭) બ્રહ્મચર્યની નિરપવાદતા. (૮) બ્રહ્મચર્યમાં એક ખાસ દૃષ્ટિ. (૯) બ્રહ્મચર્યમાં સાવધ રાખવા માટેની ઉપદેશેલી. (૧૦) જૈન સૂત્ર અને વિવાહપદ્ધતિ. (૧) બ્રહ્મચર્યજન્ય સિદ્ધિ અને ચમત્કાર. (૧૨) કાકાસાહેબના પ્રશ્નો અને ઉપસંહાર.
૧. વ્યાખ્યા
જૈન શાસ્ત્રમાં બ્રહ્મચર્ય શબ્દની બે વ્યાખ્યાઓ મળે છે. પહેલી વ્યાખ્યા બહુ વિશાળ અને સંપૂર્ણ છે. એ વ્યાખ્યા પ્રમાણે બ્રહ્મચર્ય એટલે જીવનસ્પર્શી સંપૂર્ણ સંયમ. આ સંયમમાં માત્ર પાપવૃત્તિઓ ઉપર અંકુશ મૂકવાનો જ—જેના પરિભાષામાં કહીએ તે આસ્ત્રવનિરોધને જ—સમાવેશ નથી થતા, પણ તેવા સંપૂર્ણ સંયમમાં શ્રદ્ધા, જ્ઞાન, ક્ષમાદિ સ્વાભાવિક વૃતિઓના વિકાસને સુધ્ધાં સમાવેશ થઈ જાય છે. તેથી પહેલી વ્યાખ્યા પ્રમાણે બ્રહ્મચર્ય એટલે કામક્રોધાદિ દરેક અસવૃત્તિને જીવનમાં ઉદ્ભવતી અટકાવી શ્રદ્ધા, ચેતના, નિર્ભયતા આદિ સવૃત્તિઓ–ઊર્ધ્વગામી ધર્મો–ને જીવનમાં પ્રગટાવી તેમાં તન્મય થવું તે.
સાધારણ લોકોમાં બ્રહ્મચર્ય શબ્દને જે અર્થ જાણીતું છે અને જે ઉપર વર્ણવેલ સંપૂર્ણ સંયમને માત્ર એક અંશ જ છે તે અર્થ બ્રહ્મચર્ય શબ્દની બીજી વ્યાખ્યામાં જૈન શાસ્ત્રોએ પણ સ્વીકારેલ છે. તે વ્યાખ્યા પ્રમાણે બ્રહ્મચર્ય એટલે મૈથુનવિરમણ અર્થાત કામસંગને–કામાચાર –અબ્રહ્મને ત્યાગ. આ બીજા અર્થમાં બ્રહ્મચર્ય શબ્દ એટલે બધે પ્રસિદ્ધ થઈ ગયો છે કે બ્રહ્મચર્ય અને બ્રહ્મચારી કહેવાથી દરેક જૈન તેને અર્થ સામાન્ય રીતે એટલે જ સમજે છે કે મૈથુનસેવનથી દૂર રહેવું તે બ્રહ્મચર્ય અને જીવનના બીજા અંશમાં. ગમે તેવો અસંયમ હોવા છતાં માત્ર કામસંગથી છૂટે રહેનાર હોય તે બ્રહ્મચારી, આ બીજો અર્થ જ વ્રત–નિયમે સ્વીકારવામાં ખાસ લેવાય છે અને તેથી ૧. “ત્ર સત્યતઘોમૂતન્દ્રિયનિરોધક્ષા !”
–સૂત્રછતાં સુત્ર, બુધ ૫, અધ્ય. ', થા ૧ 'व्रतपरिपालनाय ज्ञानाभिवृद्धये कषायपरिपाकाय च गुरुकुलवासो ब्रह्मचर्यम् अस्वातन्त्र्यं गुर्वधीनत्वं गुरुनिर्देशस्थायित्वमित्यर्थ च ।'
-तत्त्वार्थभाष्य, अध्याय ९, सूत्र ६
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org