SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર [ પ૦ ભગવાન મહાવીરને ઉદ્દેશ ઉપર કહેલા નિવૃત્તિધર્મને પ્રચાર છે. તેથી તેમના ઉદ્દેશમાં જાતિનિમણ, સમાજ સંગઠન, આશ્રમ વ્યવસ્થા આદિને સ્થાન નથી. લેકવ્યવહારની ચાલુ ભૂમિકામાંથી ગમે તે અધિકારી પોતાની શક્તિ, પ્રમાણે નિવૃત્તિ લે અને કેળવે, તેમ જ તે દ્વારા મેક્ષ સાધે એ એક જ ઉદ્દેશથી ભગવાન મહાવીરના વિધિનિષેધ છે. તેથી તેમાં ગૃહસ્થાશ્રમનો કે લગ્નસંસ્થાને વિધિ ન જ હોય એ સ્વાભાવિક છે. લગ્નસંસ્થાનું વિધાન ન હોવાથી તેને લગતી બાબતોમાં વિધાને પણ નાગમમાં નથી; જેમકે વિવાહ કરવો, તે અમુક ઉંમરે કરે અને અમુક ઉંમરે ન કરો, સ્વયંવર પદ્ધતિએ કરે કે બીજી પદ્ધતિએ કરે, એક પુરુષ એક જ સ્ત્રી કરે કે વધારે પણ કરે. એક સ્ત્રીને પતિ એક જ હોય કે વધારે હય, વિધવા પુર્નવિવાહ કરે કે નહિ. અને કરે તે કઈ મર્યાદામાં, અમુક ઉંમર સુધી જ કુંવારા રહેવું યોગ્ય છે અને પછી નહિ, તેમ જ વિવાહિત સ્થિતિમાં પણ વિષયસેવનની અમુક મર્યાદા હેવી જોઈએ, “ “ માર્યાયત્ત ” એ વિધાન કે તેના લિંધનમાં પાપ–વગેરે. દરેકને સરખો અધિકાર નહિ હોવાથી લોકપ્રવૃત્તિના નિયમો સિવાય લોકસંગ્રહ અને લેકવ્યવસ્થા ન ચાલે અને ન નભે, એ વાત દીવા જેવી છતાં તેમાં ભગવાન મહાવીર ન પડ્યા. એનું કારણ એ છે કે તેમને મન તદ્દન અપૂર્વ, લેકેત્તર અને આપવા જેવી વસ્તુ ત્યાગ જ હતી. ભોગ તે દરેક લેકે પોતે જ સાધી લે છે અને તેની વ્યવસ્થા ઘડી કાઢે છે. આવી વ્યવસ્થાનાં શાસ્ત્રો તે કાળે પણ હતાં અને પાછળથી પણ બન્યાં. તેવાં શાસ્ત્રોને જૈન પરંપરા લૌકિક શાસ્ત્રો કહે છે, અને નિવૃત્તિપ્રધાન જૈન શાસ્ત્રોને લેકર (આધ્યાત્મિક) શાસ્ત્રો તરીકે વર્ણવે છે. જૈન ધર્મ અને જૈન શાસ્ત્રોની કરતા પ્રવૃત્તિથી અલગ રહેવામાં છે. આ કારણથી પ્રાચીન જૈનાગ આપણને ગૃહસ્થની ભોગમર્યાદાના કશા જ નિયમે પૂરા પાડતાં નથી. તેથી ઊલટું, જૈન સંસ્થા એ મુખ્યપણે ત્યાગીઓની સંસ્થા હોવાથી અને તેમાં ઓછાવત્તા, પ્રમાણમાં ત્યાગ લેનાર વ્યક્તિઓનું મુખ્ય સ્થાન હોવાથી બ્રહ્મચર્યને લગતી પુષ્કળ માહિતી મળી આવે છે. આ સ્થળે બ્રહ્મચર્યને લગતા કેટલાક મુદ્દાઓ તારવી તે ઉપર જૈન શાસ્ત્રોના આધારે કાંઈક લખવા ધાર્યું છે. તે મુદ્દાઓ આ પ્રમાણે છે (૧) બ્રહ્મચર્યની વ્યાખ્યા. (૨) બ્રહ્મચર્યનાં અધિકારી સ્ત્રી પુરુષો. (૩) બ્રહ્મચર્યના જુદાપણાને ઈતિહાસ. (૪) બ્રહ્મચર્યનું ધ્યેય અને તેના ઉપાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy