________________
કલપસૂત્રનું વાચન અને શ્રવણ
[ પ૦૫ જે ભગવાનના જીવનમાંથી માણસને અનેક દિશામાં વિચાર કરતે બનાવી શકાય તે જ જીવનના યંત્રવત બનેલા વાચનના ચીલા ઉપર ચાલતાં ચાલતાં વાચનાર પિત અને શ્રોતાવર્ગ બને એક એવા સંકુચિત દૃષ્ટિબિન્દુના જાળામાં અને કાલ્પનિક તત્વજ્ઞાનમાં સપડાઈ ગયા કે હવે એની ગાંઠમાંથી છૂટવાનું કામ તેમને માટે ભારે થઈ ગયું છે, અને વળી બુદ્ધિદ્રોહ એટલે સુધી વધે છે કે જે કઈ એ પકડમાંથી છૂટવા પ્રયત્ન કરે તે એને ધર્મબ્રશ કે નાસ્તિકતા કહેવામાં આવે છે!
કલ્પસૂત્રની ચોમેર માત્ર વાંચનારાઓના જ સ્વાર્થનું આવરણ નથી પથરાયું, પણ શ્રેતાઓએ સુધ્ધાં એની પાછળ લમી, સંતતિ, અધિકાર અને આરોગ્યના આશામોદકે સેવ્યા છે અને અત્યારે પણ એ મોદકે વાસ્તે હજારે રૂપિયા ખર્ચાય છે. આ રીતે ઉપરથી ઠેઠ નીચે સુધી, જ્યાં નજર નાખો ત્યાં, કલ્પસૂત્રના વાચન-શ્રવણને મૂળ આત્મા જ હણાયેલ છે. પ્રશ્ન થાય છે કે ત્યારે કાંઈ રસ્તે છે? જવાબ સ્પષ્ટ છે. બુદ્ધિ અને હિંમત વાસ્તે રસ્તા અનેક છે. વળી તેમાંથી નવા રસ્તા પણ નીકળી શકે. હું અત્યારના વિચારક વર્ગ વાસ્તે જે માર્ગ જોઉં છું તે નમ્રપણે જણાવી દેવા પણ ઈચ્છું છું. એનાથી વધારે સારે માર્ગ શોધી તેને અનુસરવાની સૌને સ્વતંત્રતા છે જ. - (૧) સાધુ, જતિ કે પંડિત સામે વ્યક્તિશઃ દેષ કે તિરસ્કાર જરા પણ સેવ્યા સિવાય, જ્યાં બુદ્ધિશન્ય અને શુદ્ધિવિહીન વાચન-શ્રવણની નિર્જીવ પ્રણાલી ચાલુ હોય ત્યાં નિર્ભય વિચારકોએ તેમાં જરાય ભાગ ન લેવો.
(૨) બુદ્ધિના વિવિધ પ્રદેશોને સ્પર્શ કરે અગર એતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિએ જીવનકથા ચર્ચે અને તે પણ સીધી કે આડકતરી રીતે કોઈ પણ જાતની દાન, દક્ષિણા કે ચડાવે સ્વીકારવાની વૃત્તિ વિના જ, તેને સ્થળે, પછી વાંચનાર સાધુ હોય, યતિ હેય કે ગૃહસ્થ હેય, આદરપૂર્વક ભાગ લે.
(૩) આધ્યાત્મિકતાની શુષ્ક ચર્ચામાં સામૂહિક દૃષ્ટિએ ન પડવું અને સામાન્ય રીતે જે સમાજને અધિકાર દેખાય છે તે જ અધિકારને ધ્યાનમાં રાખી દંભ ન પોષાય એવી રીતે પ્રામાણિકપણે વૈયક્તિક, કૌટુંબિક, સામાજિક અને રાષ્ટ્રીય અગર વિધીય પ્રશ્નો વિશે અભ્યાસ તેમ જ તટસ્થતાભરેલી ચર્ચાઓ વાસ્તે બધી શક્ય ગોઠવણ કરવી અને પજુસણના દિવસેને ઉપગ એક જ્ઞાન અને શાંતિના સાપ્તાહિક સત્ર તરીકે કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org