SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ ] દર્શન અને ચિંતન આવતી પરંપરા પ્રમાણે અમુક ગુરુના જ મુખમાંથી. એ માન્યતામાં તણાતા વિચાર અને બુદ્ધિનું ખૂન થયું, પક્ષાપક્ષી બધાઈ અને તે એટલે સુધી કે કાશી, મથુરા કે ગયામાં શ્રાદ્ધુ કે સ્નાન કરાવવા પડયાએ જેમ એક યાત્રી પાછળ પડે છે તેમ ધણીવાર તમે ટેપ સવ્વસાહૂળ એ પથી વાતા, સ્તવાતા જૈન ગુરુએ શ્રેાતાવર્ગ મેળવવાની ખેચતાણમાં પડયા. મેં અનેક સ્થળે એ જોયું છે કે એક ઉપાશ્રયમાં ચામાસુ રહેલ અનેક સાધુએ કલ્પસૂત્ર વાંચવાની તક જતી હાય ! તેને મેળવવા અકળ ખટપટા કરતા. આવી ખેચતાણુ નિઃસ્વાભાવ હોય ત્યાં કદી ન જ સ ંભવે. પણ કલ્પસૂત્રના વાચનના અવિચારી અધિકાર ઉપર એકાન્તિક ભાર આપવાનું માત્ર આટલું જ પરિણામ નથી આવ્યું. એ અનિષ્ટ બહુ દૂર સુધી પ્રસર્યુ” છે. એક વાર શ્રાવકાએ માન્યું કે કલ્પસૂત્ર ન સાંભળીએ તેા જીવન અલેખે જાય. જાતે તે ન વંચાય ત્યારે શેાધા જતિને. જ્યાં સાધુએ પહેાંચે નહિ ત્યાં ગમે તેટલે દૂર જતિ પહેાંચે. જતિને બીજી આવક કશી ન હોય તેાય તેમને વાસ્તે કલ્પસૂત્ર એ કામધેનુ, સાધુ વિનાના સેંકડૅા ક્ષેત્ર ખાલી, ત્યાં જતિએ પહેાંચે. એમને પાકી આવક થાય. શ્રાવકાને ક્યાં જોવું છે કે આધ્યાત્મિક જીવન સભળાવનાર આ છેલછબ્બીલા જતિ મહારાજ પૈસા ક્યાં વાપરે છે? જીવન કેમ ગાળે છે? એ તા માને છે કે કલ્પસૂત્ર સાંભળ્યું એટલે જન્મારા લેખે. પૈસા આપણે તે સત્બુદ્ધિથી આપ્યા છે. લેનાર પોતાનું કરમ પોતે જાણે! આ મરજાદી લેાકાના જેવી ગાંડી શ્રાવકભક્તિ આજે અનેક કુપથગામી જતિવાડાઓને ગેસાંઇઓની પેઠે નભાવી રહી છે. આ તે। નિઃસ્વાર્થતાની શુદ્ધ ભક્તિમાંથી ચાલી જવાનું પરિણામ થયું, જે આજે આપણી સામે એક મહાન અનિષ્ટ તરીકે ઊભું છે, પણ એથીયે વધારે ધાતક પરિણામ તેા ભક્તિમાંથી મુદ્દિવન જવાને લીધે આવ્યું છે. કાં ભગવાનના સર્વક્ષેત્રસ્પર્શી આધ્યાત્મિક જીવનની વિશાળતા અને કાં તેને સ્પર્શી અનેક દૃષ્ટિબિન્દુથી સમાજ સામે વિવિધ પ્રશ્નો ઋણી એ જીવનને સદાકાળ માટે આકર્ષક બનાવવાની કળાની ઊણપ ! આખા સમાજ કાંઈ આધ્યાત્મિક અધિકાર ધરાવી શકે જ નહિ, તેને તે પોતાના વ્યવહારક્ષેત્રમાં, સામાજિક જીવનમાં એ આદર્શ જીવનમાંથી સમુચિત પ્રેરણા મળવી જોઈ એ. એક બાજુ સામાજિક જીવનમાં પ્રેરણા આપવાનું કામ વિચારની ખામીને લીધે બંધ પડ્યું અને બીજી બાજુ સ્વાભાવિક આધ્યાત્મિક જીવનને અધિકાર ન હતા, એટલે સે કડા ગુરુઓએ દર વર્ષે કલ્પસૂત્રનું શ્રવણુ કરાવવા છતાં સમાજ તે સમસ્યાઓના અધારામાં જ વધારે ને વધારે ગબડતા ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy