________________
કહપસૂત્રનું વાચન અને શ્રવણ
[૫૦૩ સગુણ બને છે. ભક્તિનું જીવંતપણું વિચાર અને બુદ્ધિને લીધે છે. તેની શુદ્ધિ નિઃસ્વાર્થતાને લીધે હોય છે. જ્યારે બુદ્ધિનો પ્રદેશ ખેડા અટકે છે અને સ્વાર્થ તેમજ ભેગવૃત્તિને કચરે આજુબાજુ એકઠો થાય છે ત્યારે ભક્તિ નિર્જીવ અને અશુદ્ધ બની જઈ સગુણરૂપ નથી રહેતી; તે ઊલટી દોષ બની જાય છે. ભક્તિ પિષનાર અને તે માર્ગે ચાલનાર આખા સમાજનું જીવન એ દોષને કારણે જડ, સંકુચિત અને કલેશપ્રધાન બની જાય છે.
સામાન્ય રીતે જૈન જનતાની કલ્પસૂત્ર પ્રત્યે ભક્તિ છે, પણ એમાં બુદ્ધિનું જીવન કે નિઃસ્વાર્થતાની શુદ્ધિ ભાગ્યે જ રહી છે. એનાં બીજા અનેક કારણે હય, પણ એનું પ્રધાન કારણ ગુરુમુખથી શાસ્ત્ર શ્રવણ કરવાની પોષાયેલી શ્રદ્ધા એ છે. ગુરુ વાસ્તવિક અર્થમાં ગુરુ સમજાયા હતા અને તેમને અધિકાર યોગ્યતાને લીધે મનાતે આવ્યો હોત તે આવી ખલના ન થાત. જે જેનોએ માત્ર જન્મને કારણે બ્રાહ્મણત્વ અને તેના ગુરુપદ સામે લડત ચલાવી તે જ જેને ગુણની પ્રધાનતા ગાતાં ગાતાં છેવટે વેશમાત્રમાં ગુરુપદ માની સંતુષ્ટ થઈ ગયા! કલ્પસૂત્ર સાંભળવું છે, વાંચનાર જોઈએ અને તે કોઈ ગુરુ સાધુ જ હેવા જોઈએ. બીજી યોગ્યતા હેય કે નહિ પણ ભેખ હોય તોય બસ છે, એ વૃત્તિ શ્રોતાવર્ગમાં પિલ્લાઈ પરિણામ અનેક રીતે અનિષ્ટ જ આવ્યાં. લાયકાતની કોઈ પણ કસોટીની જરૂર ન જ રહી. વેશધારી એટલા ગુરુઓ અને ગુરુઓ એટલા વ્યાખ્યાતાઓ–છેવટે કલ્પસૂત્ર પૂરતા. માત્ર કલ્પસૂત્રના અક્ષરે વાંચી જાણે એટલે વડેરાઓને આશ્રય છોડી સ્વતંત્ર વિચરવાનું સર્ટિફિકેટ મળી જાય! ભકત તે સૌને જોઈએ જ. તે હેય ગણ્યાગાંઠયા, એટલે તેમના ભાગલા નાના નાના પડે. જેના ભકતે વધારે અગર ઓછા છતાં જેના ભકત પૈસાદાર તે ગુરુ મેટા. આ માન્યતામાંથી વાંચવાની દુકાનદારી હરીફાઈ ઉપાશ્રયે પિપાઈ. કલ્પસૂત્રના વાચનમાંથી ઊભા થતા નાણાં જ્ઞાનખાતાના એ ખરું, પણ તેના ઉપભોકતા છેવટે કોણ? ગુરુ જ, અને ગુરુઓને કાંઈ ખર્ચ ઓછો નહિ. આકાશમાંથી એ આવે નહિ. બીજી રીતે એમને પરસે ઉતારવાનો જ નહિ, એટલે ખર્ચને પહોંચી વળવા ખાતર પણ સામાન્ય આવકનું કામ કલ્પસૂત્રના વાચને કરવા માંડ્યું. દેખીતી રીતે નિઃસ્વાર્થ જણાતા સાધુજીવનના પ્રમાદમય ઝીણુ %િોમાં અનેક રીતે સ્વાર્થ પરંપરાએ પ્રવેશ કર્યો. વાડા બંધાયા. પિતાના ઉપાશ્રયના શ્રાવકોએ હમેશાં નહિ તે પજુસણના દિવસોમાં કલ્પસૂત્ર સાંભળવા પૂરતું ત્યાં જ આવવું શોભે એવી મક્કમ માન્યતા બંધાઈ કણ વાંચનાર
ગ્ય અને કણ અગ્ય એ વિવેક જ વિસારે પડ્યો. કલ્પસૂત્ર તે વર્ષમાં એક વાર કાને પડવું જ જોઈએ અને તે ગુરુમુખથી. વળી તે પણ ચાલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org