________________
૫૦૦ ]
દર્શન અને ચિંતન થવી ધટે. આ કામકાઈ અમુક ફિરકાનું જ છે કે અમુક ગચ્છની અમુક વ્યક્તિ જ કામ કરે છે કે અમુક સંધ જ તેમાં રસ લે છે, તેથી તેની સાથે આપણે શી લેવા દેવા ? –એવી કાળજૂની સંકુચિતતાને ખંખેરી છેવટે આ બધું કાર્ય કોઈ એકનું નથી પણ સહુનું છે, છેવટે અમુક ગણીગાંઠી વ્યક્તિઓ તે મુખ્ય ભાગ લે જ, તો આપણે પણ શા માટે ન લઈએ ? વગેરે ઉદાત્ત ભાવના દ્વારા હાર્દિક સહકાર આપવા પૂરતી દૃષ્ટિ શું ગૃહસ્થમાં કે શું ત્યાગીઓમાં આવશ્યક છે; અને એ દૃષ્ટિથી કામ કરીએ તે મને લાગે છે કે જૈન શ્રતનું ધારેલું નવસંસ્કરણ કેઈ અનેરે જ રંગ લે! પછી તે એવું અવશ્ય બનવાનું કે જ્યાં
જ્યાં શાસ્ત્રીય વિદ્યાઓનું અધ્યયન-સંશોધન થતું હશે ત્યાં સર્વત્ર જૈન વાત્મયનું સ્થાન અનિવાર્યપણે હશે. તેથી આપણું દષ્ટિ એવી હોવી જોઈએ કે સાધારણ અને ઉચ્ચ કેટિના વિદ્વાનેને સંતોષી શકે, એમની માગણીઓને પૂરી કરી શકે તે રીતે અને તે દૃષ્ટિથી જૈન શ્રતનું નવસંસ્કરણ થાય. જવાબદારી અદા કરવાને સમય
જૈન શ્રત પ્રત્યેની આજની આપણી જવાબદારી આ છે, અને તે પૂરી કરવાને સમય પાક્યો છે. કાળબળ આપણી સાથે છે. સાધને અપરિમિત છે. આ બધું જોતાં મને એમ નિશ્ચિતપણે લાગે છે કે હવે આપણે માત્ર ચકાબદ્ધ ન રહેતાં વિશાળ દષ્ટિ કેળવી આપણી જવાબદારી અદા કરીએ.
– જૈન પર્યુષણક), શ્રાવણ ૨૦૦૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org