________________
કલ્પસૂત્રનું વાચન અને શ્રવણુ
[ ૩૪ ]
પસૂત્રમાં અન્ય તીથંકરાની જીવનકથાના અંશો છે, તેમ જ એમાં ભગવાન મહાવીરના સાધુસંધમાંના પ્રમુખ સ્થવિરાની યાદી પણ છે; છતાં કલ્પસૂત્રની પ્રતિષ્ઠા અને એના વાચન અને શ્રવણુના મહિમા મુખ્યપણે એમાંના ભગવાન મહાવીરના જીવનભાગને લીધે છે. ભગવાન દિગ્બર, સ્થાનકવાસી અને શ્વેતાંબર એ ત્રણે ફ્રિકાને એકસરખી રીતે પૂજ્ય અને શ્રદ્ધેય છે, તેમ છતાં જ્યારે પશુસણ કે દશલક્ષણીને પ્રસંગ આવે છે ત્યારે કલ્પસૂત્રનુ નામ શ્વેતાંબર પરંપરામાં જેવું ઘેર ઘેર અને આબાલવૃદ્ધ દરેકને મુખે સંભળાય છે તેવું સ્થાનકવાસી કે દિગમ્બર ફ્રિકામાં સંભળાતું નથી. કલ્પસૂત્રમાંની ધણી હકીકતા અને સ્થવિરપરંપરાને દિગંબરા ન માને તેથી તેઓ કલ્પસૂત્રને ન વાંચે કે ન સાંભળે એ સમજી શકાય તેવી બાબત છે, પણ સ્થાનકવાસી, જેમને કલ્પસૂત્રમાંની એક પણ બાબત અમાન્ય નથી કે તેની સાથે વિરોધ નથી, તેઓ સુધ્ધાં કલ્પસૂત્ર પ્રત્યે એટલે આદર નથી ધરાવતા જેટલા શ્વેતાંબર. પશુસણના દિવસેામાં એ જ કારણથી શ્વેતાંબર પરંપરામાં કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ અનિવાય` લેખાય છે અને તે ભારે આદર, આડંબર તેમ જ નિયમપૂર્વક ચાલતું જોવાય છે, જ્યારે સ્થાનકવાસીઓમાં કલ્પસૂત્રનું વાચન–શ્રવણુ પશુસણના વિસામાં પણ અનિવાય નથી અને દેખાદેખીથી કાઈ ક્યારેક ક્યાંય વાંચે તે એની પાછળ એટલા દેખાવ, આડંબર કે ખર્ચ નથી થતા.
આ રીતે આપણે જોવા જઈએ તેા કલ્પસૂત્રનું વાચન અને શ્રવણુ એ વિશે જે કાંઈ વિચારવું ધટે છે તે સામાન્ય રીતે સકલ જૈન પરંપરાને ઉદ્દેશીને વિચારવાનું પ્રાપ્ત હેાવા છતાં ખરી રીતે અથવા મુખ્ય રીતે શ્વેતાંબર પરંપરાને ઉદ્દેશીને જ વિચારવાનુ અત્યારે પ્રાપ્ત થાય છે.
કલ્પસૂત્રના વાચન અને શ્રવણના ઉદ્ભવ કયારે, કયા સ્થાનમાં, કુવા સજોગામાં અને કેવી રીતે થયા એ વિશે અહીં આજે કાંઈ ચવા ઇચ્છતા નથી. આજે તા એ વાચન–શ્રવણુની ધારાગંગા કયા મૂળમાંથી શરૂ થઇ, કાને આધારે આજ સુધી ચાલી આવે છે તે વિશે જ સમીક્ષક દૃષ્ટિએ કાંઈક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org