SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ આપણી શુના પ્રત્યેની જવાબદારી [ ૪૯ સાહિત્ય સામગ્રી ઉપરાંત આજે કાર્ય કરી શકે અને કામ લઈ શકાય એવા વિદ્વાનો અને વિશારદોની પણ આપણી પાસે ઠીક ઠીક સંપત્તિ છે. આવી કેટિના જૈન ગૃહસ્થ વિદ્વાનોને લક્ષમાં ન લઈએ તો પણ એકલી જૈન સાધુસંસ્થામાં ગણ્યાગાંઠ્યા પણ ઉચ્ચ કેટિની યોગ્યતા ધરાવનારા ત્યાગીઓ છે જે નવસંસ્કરણ માટે અગત્યની ભૂમિકા છે. એમની જૈન શ્રત પ્રત્યેની ભક્તિ, એમને પરંપરાગત મળેલે આચાર-વિચારનો વારસો અને એમની સંધ ઉપરની લાગવગ એ બધું બહુ કીમતી છે. આ સિવાય આ દેશ અને પરદેશમાં એવા અનેક વિદ્વાન, અધ્યાપક અને સંશોધકે કોલેજ, યુનિવર્સિટી તેમ જ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આદિમાં કામ કરી રહ્યા, જેમને જ્ઞાનની દષ્ટિએ જૈન શ્રતના સંપાદનમાં, તેના પ્રકાશનમાં અને તેને લગતા વિવેચન આદિમાં ઊંડામાં ઊંડો રસ છે; એટલું નહિ, પણ આપણે ઈચ્છીએ અને લઈ શકીએ તે તેઓ પ્રસ્તુત કાર્યમાં બહુ કીમતી મદદ પણ કરી શકે તેમ છે. સંપાદનપ્રકાશનને લગતી આ ભૂમિકા જાણે પહેલાં કદી ન હતી તેવી કાળક્રમે નિર્માઈ છે. એને ઉપયોગ જૈન શ્રતના નવસંસ્કરણમાં કરવો એ આપણું દૃષ્ટિબિંદુ હોઈ શકે. જિજ્ઞાસાને સંતોષવાની દષ્ટિ રાખીએ આપણે જે સંપાદન, પ્રકાશન, વિવેચન અને નિર્માણ કરવા ઈચ્છીએ છીએ, તેની પાછળ કઈ દષ્ટિ હેવી જોઈએ એ વિચારવું એ ગણાશે. પહેલાં જે જૈન શ્રત માત્ર જૈન પરંપરામાં અભ્યાસને વિષય હતું, અને તે પણ ધર્મ કે શ્રદ્ધાની દૃષ્ટિએ, તે જૈન શ્રત આજે જૈન પરંપરા ઉપરાંત અન્ય પરંપરાએમાં પણ જિજ્ઞાસાને વિધ્ય બન્યું છે. સ્કૂલથી માંડી કૉલેજ, યુનિવર્સિટી અને રીસર્ચને લગતી સંરથાઓમાં એનું ક્ષેત્ર વિસ્તર્યું છે. ભારત અને ભારતની બહાર, જ્યાં દેખે ત્યાં, અન્ય પ્રાચીન સાહિત્યની પેઠે જૈન પ્રાચીન વાડ્મય તરફ વિદ્વાનોનું ધ્યાન ગયું છે, ને આપણે જાણીએ તેવી રીતે અનેક સ્થાનમાં જૈનેતરે અને વિદેશીઓ પણ એ વાડમયને લગતું ઘણું કામ કરી રહ્યા છે. એજ રીતે પિતાની ઢબે પણ જૈન પરંપરાના જુદા જુદા ફિરકાઓ એ વિશે કાંઈ ને કાંઈ કરી રહ્યા છે. આમ હોવા છતાં આજની વિસ્તરતી જિજ્ઞાસાને દરેક રીતે સંતોષે એવી દષ્ટિથી જૈન શ્રતનું નવસંસ્કરણ કરવું આવશ્યક છે. તે માટે ફિરકાઓએ પિતાના જૂના પૂર્વગ્રહ શિથિલ કરવા જોઈએ. સૂતકાર્યમાં મોખરે ઊભા રહી શકે એવા ત્યાગીવર્ગે આ કાર્યમાં પિતાનો પૂરે સાથ આપવો ઘટે. દરેક યોગ્ય વિદ્વાન કે ત્યાગી પિતાને ભાગે આવતું અને પિતે કરી શકે તેવું કામ પિતાને ઈષ્ટ સ્થાને રહીને પણ કરી શકે એવી દૃષ્ટિથી કામની વહેંચણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy