________________
જ૯૮]
દર્શન અને ચિંતન એવો સમય આવી ગયો છે, અને તે પાક્યો પણ છે, કે જ્યારે આપણે હવે કાંઈક જુદી જ દૃષ્ટિએ અને કાંઈક જુદી જ ભૂમિકા ઉપર જૈન મતના પ્રકાશનનું કે નવનિર્માણનું કામ હાથ ધરવું જોઈએ. આજની જૈન શ્રત પ્રત્યેની આપણું મુખ્ય જવાબદારી આ જ છે. એ જુદી દષ્ટિ અને જુદી ભૂમિકા શી છે કે જેને લીધે આપણી વારસાગત સંકુચિતતાની ખામી દૂર થાય અને આપણે જાગેલી નવચેતનાને સંતોષી પણ શકીએ. એ હવે સંક્ષેપમાં વિચારીએ. તૈયાર ભૂમિકાને ઉપયોગ કરી લઈએ
આપણે પ્રથમ ભૂમિકાને જોઈએ. જૈન શ્રતને લગતું જે કામ જે દૃષ્ટિએ કરવું પ્રાપ્ત છે તેની સાધનસામગ્રી એ જ આપણી ભૂમિકા છે. પહેલાં પણ આવી સામગ્રી ન હતી કે સર્વથા અજ્ઞાત હતી એમ નથી, પણ આજે તેવી સામગ્રી જેટલા પ્રમાણમાં પ્રાપ્ત છે, જેટલા પ્રમાણમાં જ્ઞાત છે અને જેટલા પ્રમાણમાં સુલભ છે, તેટલા પ્રમાણમાં પ્રથમ ન હતી પ્રાપ્ત કે ન હતી સુલભ. જે જૈન ભંડારો પૂર્ણપણે અવગાહવામાં આવ્યા ન હતા અને જેમાં આ હશે, તે હશે એવી ધારણા સેવાતી હતી, લગભગ તે બધા ભંડારે હવે અતિ જોવાઈ ગયા છે અને તેમાંથી બધી સામગ્રી એકત્ર કરવામાં આવી છે. સંભવ હોય તેટલા જાના સમયની જૂનામાં જૂની હસ્તલિખિત તાડપત્ર અને કાગળની પ્રતિઓ આજે આપણી સામે છે. જૈન શ્રત સાથે અનિવાર્ય સંબંધ ધરાવતી અને તેના સંપાદન-પ્રકાશનમાં કીમતી ફાળો આપે તેવી બૌદ્ધ અને બ્રાહ્મણ શ્રતની સામગ્રી પણ અનેક રૂપે આજે સર્વથા સુલભ છે. પાલિ પિટકે, મહાયાની સાહિત્ય, એનાં યુપીય ભાષાઓમાં અને દેશી ભાષાઓમાં થયેલાં ભાષાન્તરે, એના ઉપર થયેલ બીજા અનેક કષાદિ કામો અને એમાંથી નીપજેલું તેમ જ વિકસેલું ચીની, જાપાની, બર્મી અને સિલેની સાહિત્ય—એ બધું જાણે આંગણામાં હોય એવી સ્થિતિ છે. વેદથી માંડી પુરાણ અને દર્શન આદિ વિષયને લગતા વર્તમાન કાળ સુધીના વૈદિક તેમજ બ્રાહ્મણ પરંપરાના મૂળ ગ્રંથ, તેનાં ભાષાંતરે, તે ઉપરનાં વિવેચને વગેરે બધું જ આપણા આંગણામાં છે. બૌદ્ધ અને વૈદિક વાસ્મય તેમ જ જૈન શ્રતનો એટલે બધા નિકટ સંબંધ છે કે તે એકમેકના પૂરક બને છે. આ બધું તે છે જ, પણ તે ઉપરાંત જરથુસ્ટ્રિયન ધર્મના અવેસ્તા આદિ પ્રાચીન ગ્રંથને લગતી પણ બધી સામગ્રી આજે પ્રાપ્ત છે, જેની સાથે જૈન આચારવિચારને બહુ જ સંબંધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org