SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ આપણી ભુત પ્રત્યેની જવાબદારી [ ૪૯ બીજાં શાસ્ત્રોને છપાવવાનો વિરોધ શ્વેતાંબર દિગંબર બંને પરંપરામાં એકસરખો હતા. શ્રીમાન સાગરાનંદસૂરિ પહેલાં વિરોધ પક્ષમાં હતા, પણ તેમની ચકેર દષ્ટિએ કાળબળ પારખ્યું અને પિતે જ આગમપ્રકાશનના કાર્ય માટે આગળ આવ્યા. મેં એમના સહવાસમાં જોયું છે કે જ્યારે તેઓએ આ ભગીરથ કાર્ય હાથમાં લીધું ને પાટણમાં વાચન સાથે મુદ્રણ કાર્ય પણ શરૂ કર્યું ત્યારે તેમાં સાથ આપનારા સાધુઓ એવા ન હતા કે જે ખાસ લાગવગવાળા હોય, જે કાર્યસાધક વિદ્વત્તા પણ ધરાવતા હોય અને જે સાગરજીને તેમના કાર્યમાં સીધા સહાયક પણ થતા હોય. જે સાધુઓ તે વખતે આવેલા તે મોટે ભાગે ચાલતી વાચનાના શ્રાવક માત્ર હતા. કામ તો એકલે હાથે એ બાહેશ સાગરજી જ કરતા. તે વખતે બીજા વિદ્વાન, લાગવગવાળા અને સામગ્રીસંપન્ન આચાર્યો કે સાધુઓએ સાગરજીને, કઈ પણ જાતને ભેદભાવ રાખ્યા સિવાય, સાથ આપ્યું હોત તો એ આગમપ્રકાશનનું કાર્ય જુદી જ રીતે સંપન્ન થયું હોત. આ બધું છતાં બહુશ્રુત અને પુરુષાથ શ્રી સાગરાનંદસૂરિએ ખરેખર એકલે જ હાથે અને કલ્પી ન શકાય એટલા થોડા સમયમાં લગભગ બધું આગમશ્રત લેકેને સુલભ કરી દીધું. એને પરિણામે વેતામ્બર પંરપરા ઉપરાંત દિગંબર, સ્થાનકવાસી અને તેરાપંથી પરંપરામાં પણ નવચેતના પ્રગટી. સૌએ પિતાપિતાની દષ્ટિએ મૃતપ્રકાશનને માર્ગ અંગીકાર્યો, જે આજે પણ કામ કરી રહ્યો છે. સમયની માગણી પરંતુ સમયની માગણી જુદી હતી અને હજીયે જુદી છે. જેમ જેમ પાશ્ચાત્ય વિચારો અને તેની કાર્યપદ્ધતિઓ આપણું જાણમાં વધારે ને વધારે આવતી ગઈ તેમ તેમ આપણને માત્ર પ્રથમ થયેલ કામમાં સંતોષ રહે તે ઘટવા લાગ્યો. અને એક જ વસ્તુને નવનવી રીતે લેકો સમક્ષ મૂકવાની. વૃત્તિ પ્રબળ અને પ્રબળ થતી ગઈ. યુરોપીય વિદ્વાનના હાથે થયેલ સંસ્કારણેની જેવી પ્રતિષ્ઠા છે, તેમનાં લખાણોમાં જે તટસ્થતા અને વિશાળ દષ્ટિ છે તેવું આપણે કેમ ન કરીએ ? આવી મહત્ત્વાકાંક્ષા આપણી ચેતનામાં જન્મી. હવે “અભિધાનરાજેન્દ્ર” અને બીજા તેવા ગ્રંથ માત્રથી સંતુષ્ટ ન રહેતાં કાંઈક તેથી વધારે પદ્ધતિસર, વધારે અગત્યનું અને વધારે ગ્રાહ્ય બને તેવું કામ કરીએ–આવી ભાવના શું ત્યાગી કે શું ગૃહસ્થ બને સમજદાર વર્ગમાં એકસરખી જાગી. એને લીધે છૂટાછવાયા અનેક પ્રયત્ન પણ શરૂ થયા. જૈન પરંપરાના બધા ફિરકાઓમાં, અને એક એક ફિરકાની જુદી જુદી સંસ્થાઓમાં, એ પ્રયત્નો ચાલી રહ્યા છે એ એક પ્રમોદદાયક વસ્તુ છે. આ બધું છતાં હવે. ૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy