________________
૪૯૬ ]
દર્શન અને ચિંતન આંખ-કાન બંધ કરીને જ પુરાય છે, એટલે તે બીજા વિશે કશું જાણવાની દરકાર નથી કરતે, બીજા સાથે મળતો-હળતો નથી, સહકાર લેતે-દેતે નથી, અને છેવટે એ પિતાની જાતને નબળી પાડે છે તેમ જ બીજાને નબળા બનાવવામાં નિમિત્ત બને છે. લગભગ આવી દશા જૈન ફિરકાના શ્રતની થઈ છે. દિગંબર પરં. પરાએ પોતાના અનુયાયીઓમાં જન્મથી જ સંસ્કાર પિષવા માંડ્યો કે અંગશ્રત નાશ પામ્યું અને જે અંગ કે આગમશ્રત છે તે તે તાંબર, પરંપરાએ પાછળથી ઉપજાવ્યું છે. આવા સંસ્કારમાં પિષાયેલ કોઈ પણ સાંપ્રદાયિક માણસ ઉપલબ્ધ જન શ્રતને આદરથી કે જિજ્ઞાસાથી જોઈ જ ન શકે. જે મૃતમાંથી અનેક પુરાતન અને મહત્ત્વની વિગત યુરેપિયન વિદ્વાને શોધી રજૂ કરે તે જ શ્રત દિગંબર પરંપરાને તુચ્છ લાગે !
એ જ રીતે શ્વેતામ્બર પરંપરાના સાંપ્રદાયિક લેકે દિગંબર પરંપરાને શ્રત વિશે પોતાના અનુયાયીઓમાં સંકુચિત સંસ્કાર પિષે તે તેઓ કુંદકુંદ, પૂજ્યપાદને સમcભદ્ર જેવા સમર્થ વિદ્વાનોના મૃતનું મહત્વ કેવી રીતે આંકી શકે? આ ભેદક રેખા બહુ મોટી છે. એને ચેપ વારસામાં ઊતરતો સ્થાનક્વાસી ફિરકામાં પણ આવ્યો છે. એણે પિતાને અમુક ચોકે બાંધી માનવા-મનાવવા માંડ્યું કે બત્રીસ આગમ એ જ મુખ્ય છે અને બીજું તે બધું ઠીક જ છે! આ એકાવૃત્તિએ સ્થાનકવાસી ફિરકાને જે શ્રત અને જ્ઞાનની દરિદ્રતા આપી છે તે વિશે અહીં કાંઈ પણ કહેવું અપ્રસ્તુત છે. અહીં તે એટલું જ પ્રસ્તુત છે કે તે ચોકાવૃત્તિને વારસો પાછે તેરાપંથને મળ્યો અને તેણે શ્રત પરંપરાને વિસ્તાર કરવાને બદલે એક રીતે પિતાની દૃષ્ટિએ તેનું ક્ષેત્ર સંકુચિત કર્યું.
આ રીતે આપણે ઇતિહાસક્રમમાં જોઈએ છીએ કે શ્રત પ્રત્યેની જેની જન્મસિદ્ધ ભક્તિ પણ એટલી બધી આંધળી અને સામયિક કર્તવ્યથી વિમુખ બનતી આવી છે કે અત્યારે સમયની માગણી સંતોષે એ પ્રસ્તાવ તેમની સમક્ષ રજૂ કરતાં પણ માણસ ખચાય છે. શ્રી સાગરાનંદસૂરિને ભગીરથ પુરુષાર્થ
હવે આપણે નવા યુગ તરફ વળીએ. એક તરફથી યુરોપમાં જૈન શ્રત દાખલ થતાં તેને અભ્યાસ શરૂ થયે, વળે અને વિસ્તર્યો. તે ઉપર અનેક ભાષામાં અનેક રીતે કામ થયું અને હજી થાય છે, બીજી બાજુ દેશમાં જ પાશ્ચાત્ય વિચારના પડઘા પડ્યા અને જૈન શ્રતને પ્રકાશિત કરવાનો વિચાર ફેલાતે ગયે. બાબુ ધનપતસિંહજીને પુરાણા પ્રકાશનની વાત જતી કરીએ તેય આપણે આગમવાચનાને જતી કરી શકીએ તેમ નથી. આગમ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org