________________
આપણી શ્રત પ્રત્યેની જવાબદારી
[ ૪૯૫ આનું પરિણામ છેવટે એ જ આવતું જે આજે દેખાય છે. બહુમૂલું જૈન શ્રત
આવી સ્થિતિ છતાં સદ્ભાગે આપણને વારસામાં જે કાંઈ બુત મળ્યું છે તે પણ નથી ઓછું કે નથી ઓછા મહત્ત્વનું. ભગવાન મહાવીરના સમયની જ નહિ, પણ તે પહેલાંના કેટલાક સમયની પણ ઘણી હકીકતે આજે. જૈન શ્રત દ્વારા પ્રાપ્ત છે. તત્ત્વજ્ઞાનના, તત્કાલીન સમાજના ધાર્મિક આચાર અને સંધના અને ભાષા આદિ અનેક મુદ્દાના ઈતિહાસની દૃષ્ટિએ એ પ્રાચીન શ્રતમાં ઘણું ઘણું ઉપયોગી સચવાયું છે. એ શ્રુતપરંપરાની સમય સમયની નવી ગઠવણ, નવા વિચારોનો સમાવેશ, આવશ્યક સંક્ષેપનવિસ્તાર વગેરે બધું થયા છતાં એમાં અતિજૂના અને જૂના અવશેષો જેમના તેમ સુરક્ષિત છે. વસ્તુ એની એ જ કાયમ હેય તે એને પ્રકાશિત કરનારી ભાષામાં કે એની રચનામાં થયેલ ફેરફાર કઈ ખાસ અસર કરતા નથી. પ્રાકૃત કે અર્ધમાગધીના સંસ્કૃતમાં કે બીજી અંગ્રેજી આદિ ભાષાઓમાં થયેલાં અને થતાં રૂપાંતરે જો કે યથાવત હોય છે, પણ તેથી મૂળ ગ્રંથનું મહત્વ જરા પણ ઓછું ન થતાં ઘણી વાર વધે પણ છે. પ્રાચીન જૈન શ્રતની બાબતમાં પણ આમ બન્યું છે. આ એક ભારતીય સંસ્કૃતિના ઈતિહાસની દૃષ્ટિએ સાધારણ સામગ્રી ન ગણવી જોઈએ. જેન શ્રતને વેબર, યાકેબી જેવા વિદેશી વિદ્વાનો, તેમ જ જૈનેતર ભારતીય વિદ્વાનો અનેક દૃષ્ટિએ મહત્વનું સ્થાન આપે છે અને જેના પરિશીલન વાતે તેમણે જિંદગીનો મોટામાં મેટો અને સારામાં સારે ભાગ ખર્ચો છે, એટલું જ નહિ, પણ જે જૈન શ્રત આજકાલના વિસ્તરતા જતા વિશ્વમાં અનેક ભાષાઓ દ્વારા વધારે ને વધારે પરિચિત થવા સાથે લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે તે જૈન શ્રત પ્રત્યે જૈન લોકેની વારસાગત ભક્તિ હોવા છતાં, તે પ્રત્યેનું આધુનિક કર્તવ્ય તેઓ બરાબર ન સમજતા હેય એમ લાગ્યા કરે છે. એકબીજા પ્રત્યેની ઉપેક્ષાવૃત્તિ
પહેલાં તે આપણે જોઈએ છીએ કે દિગમ્બર પરંપરા પિતાના જ ચકામાં પુરાયેલી છે, તે શ્વેતાંબર પરંપરા પિતાના ચકામાં. સ્થાનકવાસી અને તેમાંથી ઉદભવેલ તેરાપંથી એ પણ પિતાના ચકામાં જ પુરાયેલ છે. ચેકામાં રહેવું એ એક વાત છે અને તેમાં પુરાવું એ બીજી વાત છે. ચકામાં રહેનાર અનેક આંખેથી બહારનું બધું જુએ-જાણે, તેની સાથે મળે-હળે, સહગ લે-દે તે એ ચેક બાધક નથી બનત, પણ ચોકામાં પુરાનાર તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org