________________
૪૯૪ ]
દર્શન અને ચિંતન વખતે કે એને સાંભળતી વખતે આપણે એટલેય વિચાર નથી કરતા કે કાળહાનિ, દુર્ભિક્ષ અને બીજી અગવડ એ માત્ર જૈન સંધને જ સ્પર્શ કરતી હતી કે તે જ સ્થાનોમાં વસતા બ્રાહ્મણ અને બૌદ્ધોને પણ સ્પર્શ કરતી ? જે કાળહાનિ વગેરે તો સૌને એકસરખાં સ્પર્શ કરતાં તે એવું
ક્યું તત્વ હતું કે જેને લીધે બુદ્ધના ઉપદેશે અવિકલપણે સંગ્રહાયા, લખાયા અને પથ્થરનાં કેતરાયા, તેમ જ વૈદિક અને પનિષદ જેવાં શાસ્ત્રો, તેનાં છ અંગે અને અર્થશાસ્ત્ર કે મહાભાષ્ય જેવા ગ્રંથ અક્ષરશઃ સચવાઈ રહ્યાં અને મુખ્ય તેમ જ મહત્વનું જૈન શ્રત માત્ર ન સચવાયું ! નજીવા મતભેદોને મોટું રૂપ આપવાની ટેવ
ખરી વસ્તુસ્થિતિ એવી લાગે છે કે જૈન અનગારે ભૂતભક્તિથી શ્રતરક્ષા માટે ખરેખર પ્રયત્ન કરતા, પણ તેમનામાં અંદરોઅંદર નજીવી બાબત ઉપર જે મતભેદ પડતા તે મતભેદને તેઓ એટલું મોટું અને ભયાનક રૂપ આપતા કે જેને લીધે તેમના અનુયાયીઓ દિવસે દિવસે એકબીજાથી સાવ અલગ પડતા જતા હતા, અને મૃત જેવી સામાન્ય બાબતમાં પણ એક થઈ શકતા નહિ. આજે આપણે જાણીએ છીએ કે એક વ્યક્તિ પોતાને મત-વિચાર સાચવી રાખીને પણ બીજા સાથે સર્વસાધારણ હિતકારી બાબતમાં મળી જાય છે, તેની સાથે કામ કરે છે. તે આજ કરતાં જેને આપણે મોટા ગુણ ધર સમજતા હેઈએ કે જ્ઞાની સમજતા હોઈએ તેમને પિતાપિતાના મતભેદે કાયમ રાખીને પણ સર્વસાધારણ જૈન મૃતની રક્ષાના કાર્યમાં ભાગ લેતા કેણ અટકાવે? જવાબ એ નથી કે કાળહાનિ અવસ્થંભાવી હતી. કાળહાનિને અર્થ પણ છેવટે તે એ જ છે કે જવાબદાર આગેવાનોની માનસિક નબળાઈ. આ નબળાઈનું તત્વ જૈન સંઘને એવી રીતે વારસામાં મળતું રહ્યું છે કે આજ સુધી તે જૈન સંધની શ્રત પ્રત્યેની જવાબદારીને અને તેને અમલમાં મૂકવાની વૃત્તિને સંગીન બનવા દેતું નથી,
પુંવર્ધન, મથુરા અને વલભીમાં જે કાંઈ શ્રત વિશે કાર્ય થયું તેમાં પણ તે વખતે મળી શકવાને સંભવ હોય એવા ભિન્ન ભિન્ન આચાર્યો મળ્યા નથી. દિવસે ને દિવસે અભેદગામી, સમન્વયલક્ષી કે સહકારી તત્ત્વ વિકાસ પામવાને બદલે વિધલક્ષી અગર ભેદગામી તત્વ વધારે ને વધારે વિકસતું આપણે ઉત્તર કાળના ઈતિહાસમાં જોઈએ છીએ. તેથી જ્યારે એક વિદ્વાન આગળ આવે ત્યારે મોટે ભાગે બીજા વિદ્વાને કે આચાર્યો તેને ભૂતકાર્યમાં સંપૂર્ણ સાથ આપવાને બદલે કાં તે તટસ્થ રહેતા, કાં તે જુદો ચોકે જમાવતા.
Jain Education International
• For Private & Personal Use Only
www.jainelibrary.org