________________
આપણું શ્રુત પ્રત્યેની જવાબદારી
[ ૪૯૩ એમ અત્યારના તટસ્થ વિચારકને લાગ્યા વિના નથી રહેતું. ખામી કહીએ છીએ એટલા માત્રથી શ્રતધર ભદ્રબાહુ પ્રત્યે આદરહીન બની જઈએ છીએ એમ માની લેવું એ પણ બરાબર નથી. તે વખતે જે બન્યું તેની પુનરાવૃત્તિ ઉત્તરોત્તર થતી આવી છે. ચોકાવૃત્તિનું દુષ્પરિણામ
સંપ્રતિ અને અને ખારવેલના સમયનું પૂરું ચિત્ર આપણી સામે નથી, પણ એટલું તે આપણે જાણીએ છીએ કે સંપ્રતિના ધર્મપ્રચાર વિશેના પિતાના પિતામહ અશોક જેવા અસાધારણ પુરુષાર્થની નોંધ દિગંબર વાલ્મમાં નથી. એ જ રીતે ખારવેલનો શિલાલેખ અત્યારે કહે છે તે પ્રમાણે તેણે “અંગસુત’ને ઉદ્ધાર કાંઈ ને કાંઈ કરાવ્યું હોય તે તેની પણ નૈધ દિગંબર કે શ્વેતાંબર એકેના શ્રતમાં નથી. ભૂતબલિ કે પુષ્પદંત જેવા દિગંબર અનગાએ શ્રતરક્ષા માટે જે કાંઈ કર્યું તે વિશે શ્વેતામ્બર પરંપરા જાણે સાવ અજ્ઞાત હોય એમ લાગે છે. મથુરામાં આર્ય કંદિલે પરિષદ ભરી જે કામ કર્યું તેની નેંધ શ્વેતાંબર સાહિત્ય સિવાય બીજી એકે જૈન પરંપરાના સાહિત્યમાં નથી. સ્થાનકવાસી કે તેરાપંથીને કે દિગંબર પરંપરાને જાણે તે સાથે કશી જ લેવા-દેવા નથી. આ બધું સૂચવે છે કે જ્યારે પણ જન શ્રતની રક્ષા ને વ્યવસ્થાને પ્રશ્ન આવ્યું ત્યારે મોટે ભાગે અને ખાસ કરીને ત્યાગી ગણાતા અનગારે જ પિતપોતાને ચોકે બાંધીને એવી રીતે જુદા પડતા યા તટસ્થ રહેતા કે જેને લીધે તેઓ સર્વસાધારણ જૈન શ્રતની જવાબ-- દારી વીસરી જતા હોય તેવો ભાસ થઈ આવે છે. અલબત્ત, તેઓ પોતપોતાના ચોકામાં પિતાને ફાવે અને ચે એટલું અને એવું કૃત સાચવવા કાંઈ ને કાંઈ કરતા જ રહ્યા છે, પણ એવી ચોકાવૃતિને લીધે સર્વને એકસરખું માન્ય થાય, એકસરખું ઉપયોગી થાય અને જૈન પરંપરાના મોભાને પૂર્ણ રીતે ટકાવી રાખે એવું મહત્ત્વનું કૃત તે લુપ્ત થઈ ગયું છે એની કબૂલાત દરેક ફિરકે બહુ ઉત્સાહથી આજ સુધી કરતો રહ્યો છે !
જે જે આચાર્યું કે જે જે સંઘે કે જે જે ફિરકાએ જેટલું અને જે રીતે સાચવ્યું તેની યશોગાથા ગાવામાં તેના વારસદારેએ કચાશ નથી રાખી; અને જે નાશ પામ્યું, જે ન સંગૃહીત થઈ શક્યું તે ત્રુટિને ટોપલે દરેક ફિરકાએ કાળ ઉપર નાખે છે. સૌએ એક જ વાત કહી છે કે કાળ ઊતરતો આવ્ય, દુર્ભિક્ષ બહુ પડ્યા, સ્મૃતિ અને આયુષ્ય ઘટયાં, એટલે સારામાં સારું અને જૂનામાં જૂનું પણ મૃત આપણે ગુમાવ્યું. પણ આમ કહેતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org