SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૨ ] દન અને ચિંતન * આપણે જાણીએ છીએ કે ભગવાન પાર્શ્વનાથનું પેાતાનું પણ શ્રુત હતું. તે તેમના પટ્ટધરાએ તે સમયની શક્યતા પ્રમાણે સાચવ્યું. ભગવાન મહાવીરે એ શ્રુતમાં કાંઈક પણ વધારો કર્યાં અગર સંસ્કાર કર્યાં. એ જે કાંઈ બન્યુ તેની અક્ષરશઃ કે તાદશ નોંધ નથી, પણ એટલું તેા હકીકતથી સિદ્ધ છે કે ચંદ્રગુપ્ત મૌર્યંના સમયમાં જૈન અનગારાને શ્રુતસંગ્રહ અને શ્રુતવ્યવસ્થા માટે ભારે ચિંતા ઊભી થઈ. અત્યાર અગાઉ બૌદ્ધ ભિક્ષુકાએ પેાતાના શ્રુતની રક્ષા અને વ્યવસ્થા માટે એ મેાટી પરિષદો કે સંગીતિઓ ભરી તેમાં નોંધવાલાયક કામ કર્યું હતું. આવી કાઈ પરિષદ વૈદિકાએ ક્યાંય ભરી હતી એવું ચોક્કસ પ્રમાણ પ્રાપ્ત નથી. તેમ છતાં એમ માનવાને કારણ છે કે શાસ્ત્રનિષ્ઠ અને શાસ્ત્રજીવી બ્રાહ્મણીએ આ વિષયમાં નાનામેાટા પ્રયત્ના અવશ્ય કર્યાં હાવા જોઈએ. પેાતાની આસપાસ જે વાતાવરણ ઉગ્રપણે પ્રવર્તતું હાય તેની અસરથી માટે ભાગે વનવાસી એવા જૈન અનગારા પણ અલિપ્ત રહી શકે નહિ. તેમને પણ લાગ્યું કે આમ ને આમ મુખ–શ્રુતથી કામ નહિ ચાલે અને વનવાસ કે લેખન તેમ જ શ્રુત-સંગ્રહના અપરિગ્રહને પણ એકાંત વળગી રહ્યું કામ નહિ ચાલે. સ્થૂલભદ્ર આગળ આવ્યા. મદદ માટે અનેક અનગારાને -એકત્ર કર્યાં. ત્યાગી અને યાગી એવા પોતાના મોટા ગુભાઈ ભદ્રબાહુને નિમજ્યા. તે સીધી રીતે શ્રુત-સ ંગ્રહ તે શ્રુત-વ્યવસ્થાના કામ માટે પાટલિપુત્રમાં મળેલ પરિષદમાં ભાગ લેવા ન આવ્યા. અલખન, આપણે શ્રદ્ધાથી એમ કહી શકીએ કે યાગાભિમુખ હાવાથી કે ખીજા કારણથી ન આવ્યા, પણ તેમણે પેાતાની પાસે આવેલ અનગારાને કાંઈક તો શ્રુત આપ્યું જ. પણ આ પ્રશ્નની બીજી બાજુ છે, જે ન વિચારીએ તો આજની આપણી મનોદશા સમજવામાં આપણે ન ફાવીએ. ભદ્રબાહુ સૌથી મેાટા હતા. તેમના પ્રત્યે સ્થૂલભદ્રે પણ મીટ માંડી હતી. પાટલિપુત્રને સંધ પણ તેમના પ્રત્યે અસાધારણ આદર ધરાવતા. સ્થૂલભદ્ર કરતાં ભદ્રબાહુ વધારે શ્રુતસંપન્ન હતા. તે વખત સુધીમાં શ્રુતની શી સ્થિતિ થઈ છે અને હવે શું થવા એઠું છે અને શું કરવુ જોઈએ એની સમજ તેમનામાં વધારે હોવી જોઈ એ એમ આપણે કલ્પીએ તે અસ્થાને નથી. એવી સ્થિતિમાં તેમણે જ શ્રુતની રક્ષા અને વ્યવસ્થા માટે પહેલ કરવી જોઈતી હતી. એ પહેલ કરવાને બદલે તેમણે પહેલ કરનાર અને તે સમયની દૃષ્ટિએ નવા ચીલા પાડનાર સ્થૂલભદ્રની પરિષદને પૂરા અને સાક્ષાત્ સહયેાગ ન આપ્યા એ ખામી વિચારકના ધ્યાનમાં આવ્યા વિના નથી રહેતી. તે સમયના સયેાગા એ ખામીને ભારે માનવા ના પાડતા હશે, પણ એ ખામી હતી તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy