________________
શુદ્ધિપર્વ
[૪૮૩ બિંબ માત્ર છે. કોઈ પણ વ્યક્તિ રુચિપૂર્વક પોતામાં સક્ષુણ કેળવવા અને વિકસાવવા માગે છે તે જીવનની દિશાને સમાજથી સાવ વિમુખ બનાવી કદી સદ્ગણ સાધી શકે જ નહિ. સદ્ગણનો અર્થ જ એ છે કે ગમે તેવી અથડામણે અને ગમે તેવા સંધર્ષ વચ્ચે પણ બીજા પ્રત્યેનું વલણ મધુર જ બનાવી રાખવું, તેમાં કડવાશ આવવા ન દેવી. માણસ સાવ એકલે હોય તે તેની વૃત્તિની મધુરતા કે કટુતાની કસોટી થઈ જ ન શકે અને તે પોતે પણ એમ નક્કી ન કરી શકે કે જેને તે સગુણ માની રહ્યો છે તે વખત આવતાં સદ્ગુણ જ સિદ્ધ થશે. એ જ નિયમ દેશને પણ લાગુ પડે છે. કોઈ વ્યક્તિ ક્રૂરતા, લોભ કે ભગવૃત્તિમાં રસ ધરાવતી હોય અને તે સમાજથી સાવ છૂટી પડે તે તે કદી પિતાની નવી રસવૃત્તિને તૃપ્ત કરી શકશે નહિ. સત્ય બોલવું અને આચરવું એ સદ્ગુણ છે અને અત્યાચરણમાં દેશ છે, પણ જે મનુષ્ય એકલે હોય તે તે સત્ય કે અસત્યનું આચરણ કેવી રીતે અને કોના પ્રત્યે કરે? તેથી એ નિઃશંકપણે ફલિત થાય છે કે ઇતર જગત સાથેના માણસના સંબંધમાં જ ગુણદોષની વૃદ્ધિ કે હાનિની શક્યાશક્યતા સમાયેલી છે. મહાન પુરુષો
પૃથ્વીના પટના કઈ પણ ભાગ ઉપર ક્યારેય પણ થઈ ગયેલ અને અત્યારે વર્તમાન એવા મહાન પુરુષોની જીવનકથા એટલે સંક્ષેપમાં કહીએ તો તેમને તેમની આસપાસના જગત પ્રત્યેનો દષ્ટિકોણ અને જીવનવ્યવહાર. જે રીતે ભગવાન મહાવીરે વારસામાં મળેલ સંસ્કારને ઇતર જગત પ્રત્યેના પિતાના બંધુત્વમય અને વિશાળ દૃષ્ટિકોણ વડે તેમ જ કોમળ અને મધુર આચરણથી ઉદાત્ત બનાવ્યા અને તેના પરિણામે માનવજાતિના અભ્યદય અને નિઃશ્રેયસની દૃષ્ટિએ કાલાબાધિત મૂળભૂત સિદ્ધાંત ઈતર પયગંબરની પેઠે પ્રરૂપ્યા, તે જ સૂચવે છે કે તેમનો જીવનહેતુ વ્યક્તિ અને સમાજના સંબંધને કલ્યાણમય બનાવવાનું હતું. તેમણે જેમ સમાજના આશ્રયથી સ્વપુષાર્થ દ્વારા સગુણ વિકસાવવાની કળા સિદ્ધ કરી હતી, તેમ તેમણે પોતાના એ સગુણ-ઉપાર્જનની કૃતાર્થતા સમાજના ક્ષેમમાં જ માની હતી. પવિત્ર અષ્ટાદ્વિકા
દીર્ધદષ્ટિ મહર્ષિઓએ યુગ યુગના નવ સમાજને દીવાદાંડીરૂપ બને એવા ઉદ્દેશથી વર્ષવાસનું એક અઠવાડિયું એવી રીતે કર્યું છે કે તેમાં આપણે ભગવાન મહાવીરની પુણ્યકથા સાંભળવા અને તેના મર્મ ઉપર વિચાર કરવા પૂરો અવકાશ મેળવી શકીએ. ભગવાને પિતાની કઠેર સાધના દ્વારા જે સત્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org