________________
૪૮૪]
દર્શન અને ચિંતન અનુભવ્યા હતા અને તેમણે પોતે જ જે સત્યોને સમકાલીન સામાજિક પરિસ્થિતિ સુધારવા અમલમાં મૂક્યાં હતાં અને લેકે એ પ્રમાણે જીવન ઘડે એ હેતુથી જે સત્યોને સમર્થ પ્રચાર કર્યો હતો, તે સત્યે સંક્ષેપમાં ત્રણ છે
(૧) બીજાના દુઃખને પિતાનું દુઃખ લેખી જીવનવ્યવહાર ઘડે, જેથી જીવનમાં સુખશીલતા અને વિષમતાના હિંસક તો પ્રવેશ ન પામે. (૨) પિતાની સુખસગવડને, સમાજના હિત અર્થે, પૂર્ણ ભેગ આપો, જેથી પરિગ્રહ બંધન મટી લેકેપકારમાં પરિણમે. (૩) સતત જાગૃતિ અને જીવનનું અંતરનિરીક્ષણ કરતા રહેવું જેથી અજ્ઞાન કે નબળાઈને કારણે પ્રવેશ પામતા દોષોની ચોકી કરી શકાય અને આત્મપુરુષાર્થમાં ઓટ ન આવે. આત્મવંચના
ભગવાનની જીવનકથા સાંભળવી અને તેનું સ્થળ અને બાહ્ય અનુકરણ કરવું એ એક વાત છે; અને તેના હાર્દને સમજી યથાશક્તિ તેને પિતાને સમયની પરિસ્થિતિ સુધારવા ઉપગ કરે એ જુદી વાત છે. એ ખરું છે કે નાનામોટા બધા જ ભાવુક જૈન ઓછામાં ઓછું પજુસણના દિવસોમાં તે મહાવીરને પગલે ચાલી નાનુંમોટું તપ આચરે છે અને અન્યના દુઃખને પિતાનું લેખવાના પ્રતીકરૂપે નાનમેટું પગલું ભરે છે. એ પણ સાચું છે કે દરેક ધાર્મિક જૈન પિતાની ઉદારતાને બીજાના હિત અર્થે કાંઈને કાંઈ ઉપયોગ કરે છે. તેમ જ એ પણ સત્ય છે કે વધારે નહિ તે પજુસણના દિવસમાં નિત્ય અને તેમ નહિ તે છેવટે સંવત્સરીને દિવસે અવશ્યમેવ બધા જ નાનામોટા ગૃહસ્થ અને ત્યાગી પ્રતિક્રમણ કરી સૌની સાથે મૈત્રીભાવ દર્શાવતા કહે છે કે અમારે કોઈની સાથે વૈરવિરોધ નથી. આ બધું છતાં આપણે જૈન સમાજની આંતરિક સ્થિતિને તટસ્થપણે અભ્યાસ કરીએ, રાષ્ટ્રમાં અને સમગ્ર માનવસમાજમાં તેનું શું સ્થાન છે અને વિચાર કરીએ, તે આપણને જણાયા વિના નહિ રહે કે આપણે મહાવીરના સિદ્ધાંતના બાહ્ય ખોખાના જ આચરણમાં ધર્મનું વાસ્તવિક પાલન માની આત્મવંચના કરીએ છીએ. તપ, વ્રત, નિયમ, દાન અને પ્રભાવના આદિ દ્વારા ચોથે આરે વર્યાની કે તેના ઉદ્યોતની જે કુંકુમપત્રિકાઓ અરસપરસ સંઘોને લખવામાં આવે છે, તેનું પિકળપણું આપણે તે જ ગૃહસ્થ અને સાધુસંધોના જીવન જીવવાના માપદંડ દ્વારા સરળતાથી જાણી શકીએ છીએ. ઉકેલ માગતી સમસ્યાઓ
પજુસણ જેવું ધર્મપર્વ, જે ખરી રીતે આત્મશુદ્ધિનું પર્વ છે, તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org