________________
શુદ્ધિપ
[ ૩૨ ]
માત્ર મનુષ્યતા જ નહિ, પણ પશુપ`ખી વગેરે કાઈ પણ પ્રાણીને વનવ્યવહાર અને જીવનધમ નિહાળીએ તો વ્યક્તિ અને સમષ્ટિ વચ્ચે શા અને કેવા સબધ છે તે ધ્યાનમાં આવ્યા વિના નહિ જ રહે. સ્થૂળ દૃષ્ટિએ જોતાં દરેક વ્યક્તિ સ્વપર્યાપ્ત કે પેાતાનાંમાં જ પૂર્ણ ભાસે છે. ઉપર ઉપરથી જોતાં આપણને એમ લાગે છે કે દરેક પ્રાણી કે વ્યક્તિની આત્મકથા એ માત્ર તેના જ વનની કથા છે, કેમકે તે તેના જીવનના પ્રારંભથી શરૂ થાય છે અને તેના જીવના અંત સાથે જ તે અંત પામે છે. પરંતુ જો આપણે સૂક્ષ્મ અને તાત્ત્વિક દૃષ્ટિએ નિરીક્ષણ કરીએ તે આપણને તરત જ જણાશે કે કાઈ પણ વ્યક્તિના જીવનપ્રવાહ માત્ર વ્યક્તિ–મર્યાદિત છે જ નહિ, કેમકે તે તેના પૂર્વકાલીન અને સમકાલીન સમાજનાં અનેક જીવનવહેણાથી રચાય છે અને સમૃદ્ધ થાય છે. કાઈ પણ મનુષ્ય પોતાના પૂર્વકાલીન અને સમકાલીન માનવસમાજ તેમ .જ શ્વેતર પ્રાણીગતના સંબંધો અને તેથી ઉત્પન્ન થતા સંસ્કારોને પેાતાનામાંથી બાદ કરે તે તે માત્ર શૂન્ય બની રહે અને તેનામાં કશી જ જીવનશક્તિ શેષ ન રહે. પૂર્વ કાળને પેઢીઉતાર અને સંસ્કાર–વારસા એ જ પ્રત્યેક વ્યક્તિના જીવનધારણ અને જીવનવિકાસની નક્કર ભૂમિકા છે; અને એ જ ભૂમિકા સમકાલીન સમાજ સાથેના વ્યક્તિના સારા કે નરસા સબધાથી વિશેષતા પામે છે અને તે ભાવિ સમાજના ઘડતરમાં સારા કે નરસા કાળેા આપવાની શક્તિ અનિવાય પણે કેળવે છે. આટલા ઉપરથી સ્પષ્ટ થશે કે વ્યક્તિ અને સમાજના સબંધ એ પુષ્પ અને તેની સુવાસના સંબંધ જેવા અવિભાજ્ય છે. ગુદાષ વિચાર
પ્રાણીવર્ગમાં માત્ર માનવજાતિ જ એવી છે કે જે અતિ લાંબા કાળના સંસ્કારવારસાની રક્ષા કરવા ઉપરાંત તેમાં તે ધાર્યા પ્રમાણે ફેરફાર અને સુધારાવધારા કરી શકે. વળી તે ભાવિ પેઢીને આશીર્વાદ કે શાપરૂપ નીવડે એવી સામગ્રી પણ યાજી શકે, જે સદ્ગુણા કે દ્વેષ વ્યક્તિમાં દેખાય છે કે વ્યક્તિગત મનાય છે તે ખરી રીતે સમાજસાપેક્ષ હાઈ તે તે સમાજના ગુણદોષનું પ્રતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org