SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૮૧ સાચે જૈન કેટલામાં જણાય છે ? અને જે લેકસમાજ એ પ્રશ્નનો ઉત્તર આપે બાપ મેળવી લેવા સમર્થ ન હોય તે લેકોએ એને ખરે ઉત્તર કેની પાસેથી મેળવો ? જે વિદ્વાન ગણ એક આગેવાન અમુક ઉત્તર આપે, બીજે તે આગેવાન વળી બીજો ઉત્તર આપે અને ત્રીજે વિદ્વાન ત્રીજે જ ઉત્તર આપે તે પ્રશ્ન કરતાં ઉત્તરની ગૂંચવણું કરોળિયાના જાળાની પેઠે એવી મૂંઝવણકારક થઈ જવાની કે તેમાં સપડાયેલ દરેક પંગુ જ બની જવાને. ત્યારે એ કયે માર્ગ છે કે જેને આધારે દરેક માણસ એક જ સરખે અને સાચે ઉત્તર મેળવી શકે? જે આવે કઈ એક માર્ગ ન હોય અને હોય તે કદી સૂઝી શકે તે ન હોય અથવા માર્ગ સૂક્યા પછી પણ અમલમાં મૂકી શકાય કે જીવનમાં કામ લાવી શકાય તે ન જ હોય તે પછી આજ સુધીની આપણી શાસ્ત્રો, ધર્મો અને ગુસ્ની ઉપાસના વંધ્ય છે. અને વધ્ય ન જ હોઈ શકે એવું જે આપણું અભિમાન સાચું હોય અગર સાચું સાબિત કરવું હોય તે પ્રસ્તુત વિકટ પ્રશ્નને એકસરખે, મતભેદ વિનાને અને ત્રિકાલાબાધિત ઉત્તર આપી શકે તેવો માર્ગ અને તેવી કસોટી આપણે શોધવી જ રહી. આ માર્ગ અને આ કસોટી ઘણુ સાત્વિક હૃદયમાં સ્ફરતી હશે તેમ જ જરા માત્ર મહેનતથી સ્ફરવાને સંભવ પણ છે, માટે એનું સ્પષ્ટીકરણ કરી દરેક વાચકની બુદ્ધિસ્વતંત્રતા અને નિર્ણયશક્તિ કે વિચારસામર્થ્યને ગૂંગળાવી નાખવા ન ઇચ્છતાં દરેક સહૃદય વાચકને એ માર્ગ અને એ કસોટી વિચારી લેવા પ્રાર્થના છે. તેથી આ લેખ વાંચનાર દરેક એટલું જરૂર વિચારે કે ખરા જેને અને ખરા જૈન બનવા માટે (જ્યારે વિરોધી પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે) શું કરવું અને તે કર્તવ્યના નિર્ણય માટે સર્વમાન્ય એક કઈ કસોટી નજરમાં રાખવી ? – જનયુગ, ભાદ્ર-આશ્વિન ૧૯૮૩. ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy