SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ ] દર્શન અને ચિંતન વ્યાપક શરૂઆત માનવજાતથી કરી છે, અને તેમાં પણ પિતાના દેશવાસીઓથી પહેલી કરી છે, કારણ કે એ જાણે છે કે દૂર તે તો દૂર જ છે, અને નજીકનાનો ખ્યાલ ન કરાય તે બન્ને દૂર જ પડી જવાના. એણે કેાઈ રાજા મહારાજા કે સત્તાધીશ પાસેથી ધ્યાનાં ફરમાન મેળવવાને યત્ન નથી કર્યો, પણ એનું વાક્ય જ દયાનું ફરમાન બની ગયું છે; કારણ એ છે કે તે માનવજાતને અકારી થઈ પડેલ અને માનવજાતને ભાગ લેતી એવી લડાઈનાં જ મૂળ ઉખેડવા માગે છે. એને અહિંસા અને સત્યની રક્ષા અને પ્રચાર માટે. નથી કોર્ટ જવાની જરૂર પડી, નથી પક્ષાપક્ષી કરી મારામારી કરાવવાની જરૂર પડી. એને એની રક્ષા પિતાના હાથમાં જ દેખાય છે. એ પયગંબર કોઈ પણ સત્તાધારીની શેમાં નથી તણ. એને તો મહાપ્રતાપી ગણાતા રાજ્યકર્તાઓની સામે પણ થવું પડે છે. જેના ઉપર અન્યાય ગુજરતે હોય અને જેને કઈ બેલી ન હોય એની વહારે વગર હથિયારે માત્ર મૈત્રીનું શરણ લઈ દેડી જવું એ એક જ આ પયગંબરને જીવનવ્યવસાય છે. મનુષ્યદયા પછી, એની દયા પશુઓમાં ઊતરે છે અને તે પણ મર્યાદિત રીતે, કારણ કે એ જાણે છે કે પશુઓની જેટલી અહિંસા કે દયા પાળી શકાય તેટલી લેકને ઓછી લાગે, તેથી તેના તરફ તેઓ ધ્યાન ન આપે અને તેને સિદ્ધ ન કરે, અને જેની વાત અને ચર્ચા કરવામાં આવે તે પાળવી શક્ય ન હોય, વધારે તો ન પળાય પણ જે શક્ય હોય તે ઓછી પણ ન પળાય, એટલે એકંદર અહિંસાધર્મ ચર્ચામાં જ રહી જાય. માટે જ એણે અહિંસાપાલનની પશજાતિમાં પણ મર્યાદા આંકી છે. એ પયગંબરની ભાવના છે અને તે શેલ્વે છે કે એ કઈ માર્ગ છે કે જે દ્વારા અત્યારે બચાવવાનું શક્ય દેખાય છે તે કરતાં વધારે બીજાં ને અને પશુઓને બચાવી શકાય. એવી શોધ અને તાલાવેલી તેમ જ પગ વાળીને ન બેસવાની જુવાની એ જ એ વૃદ્ધ પયગંબરની સફળતાનું કારણ છે. એના જીવનમાંથી આપણે શું શીખીએ? વધારે નહિ તે આટલું તો શીખીએ જ: (૧) સ્વદેશીધર્મ અને ખાસ કરી ખાદી સિવાય બીજા કપડાંમાત્રનો ત્યાગ. (૨) જીવિત ચામડાની વસ્તુના વાપરને ત્યાગ. (૩) કઈ પણ જાતના કેફી પીણુને ત્યાગ. આપણે જેને માટે તે બીડી, હૈકા, સિગારેટ વગેરેનો ત્યાગ. (૪) સૌથી મહત્વનું અને છેલ્લું આપણું કર્તવ્ય એ છે કે આપણે શાસનરક્ષા માટે ફડો જમા ન કરીએ– એ કુંડને કેર્ટે જઈ ન ખર્ચીએ. છાપાઓ ને પુસ્તક દ્વારા મનુષ્યત્વને લજવે એ વિષપ્રચાર ન કરીએ. પક્ષાપક્ષી અને દળબંદીમાં ન રાચીએ. –પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને, ૧૯૩૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy