________________
અહિંસા અને અમારિ
[ ૪૬૭ મદદ કરવાનું કામ અને એ સંસ્થાઓની પશુપાલન તેમ જ પશવર્ધનની શક્તિ વધારવાનું કામ એ બધું કરી શકાય તેમ છે; અને જીવનનિર્વાહ માટે સમાજને કે બીજાને જરૂપ થયા સિવાય તેમ જ ગુલામી કર્યા સિવાય એક નવી દિશા ઉઘાડી શકાય તેમ છે. ઝવેરાતના, અનાજના, કાપડના, સટ્ટાના કે દલાલીના કોઈ પણ ધંધા કરતાં આજકાલની શાસ્ત્રીય દષ્ટિએ ગેરક્ષા અને પાંજરાપોળની સતિષત્તિથી સેવા કરવાનો ધંધે જરાય ઊતરતે નથી. આ દિશામાં સેંકડે ગ્રેજ્યુએટ કે પંડિતને અવકાશ છે. શિક્ષણકાર્ય, સાહિત્યનિર્માણનું કાર્ય, અને બીજા તેવા ઉચ્ચ ગણાતાં બૌદ્ધિક કાર્યો કરતાં આ કામ ઊલટું ચડે તેવું છે, કારણ કે એમાં બુદ્ધિ ઉપરાંત પ્રત્યક્ષ કાર્ય કરવાનું છે. યુરોપ અને અમેરિકામાં આ વિષયના ખાસ અભ્યાસીઓને મોટે વર્ગ છે. તે લોકોને અનેક રીતે જ્ઞાન આપે છે અને પશુપાલનના નવા નવા માર્ગ ધી તેની આબાદી અને સર્જનની શક્તિ વધાર્યું જ જાય છે.
આપણે જે કંડે કરી પશુપંખીઓને બચાવીએ છીએ તે માર્ગ બંધ. કરવાની જરૂર તે નથી જ, પણ હંમેશને માટે સ્થાયી કતલ બંધ કરવાને કે તેને તદ્દન ઘટાડી દેવરાવવાનો ઉપાય આજે આજકાલની પરિસ્થિતિ પ્રમાણે જ અજમાવી શકાય. એમ કરવામાં આવે તો કોઈ પણ રાજાની મદદ ન છતાં અને કોઈની પાસેથી ફરમાનો ન મેળવ્યા છતાં આજના વિદ્વાન સાધુઓ હેમચંદ્ર અને હીરવિજયના આદર્શને આ યુગમાં નજીક આણું શકે. મહાન પયગંબર
૨૫૦૦ વર્ષ પછી માત્ર હિંદુસ્તાનમાં જ નહિ, પણ પૃથ્વીના પાંચે ખંડમાં જ્યાં જ્યાં માનવ બચે છે, ત્યાં ત્યાં બધે જ પિતાની જિંદગીમાં એક જ સાથે અહિંસાને સંદેશ પહોંચાડનાર અને પિતાની અહિંસાવૃત્તિથી સૌને ચકિત કરનાર આજે મહાન પયગંબર કોણ છે ? એ પ્રશ્નનો ઉત્તર પાંચ વર્ષનું બાળક પણ જાણતું ન હોય એમ તમે કહેશે ખરા? આનું કારણ શું ? એ મહાન મનાતા પયગંબરની પાસે નથી મયૂરપિચ્છ કે નથી એ, નથી એની પાસે કમંડળ કે નથી ભામંડળ, નથી એની પાસે ભગવાં કે નથી એની પાસે ક્રસ. તેમ છતાં તે અહિંસાને મંત્રદ્રષ્ટા કેમ કહેવાય છે? એનાં કારણે તરફ અમારિધર્મના પ્રેમીઓએ નજર દોડાવવી જોઈએ કારણ એ છે કે એ પિતે અહિંસાની ઝીણામાં ઝીણી વ્યાખ્યાઓ કરી શાંત નથી બેસતો, પણ એનો પ્રયત્ન અહિંસાને જીવનમાં મૂર્તિમાન કરી તેની વ્યાખ્યા સિદ્ધ કરવાનો છે. એ વિશ્વદયા કે છકાયની સંપૂર્ણ દયામાં માનવા છતાં તેને પાળવાને કૃત્રિમ દા નથી કરતું. એણે તે અહિંસાપાલનની મર્યાદા આંકી છે. એણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org