________________
ક૬૬ ]
દર્શન અને ચિંતન અમારિ ધર્મના જૈન ઉપાસકે કર્યું છે ખરું ? અથવા એ અભ્યાસ કરી ખરી બીના કાઈ મેળવે છે ખરે? સેંકડો સાધુઓ છે, બધા વિદ્વાન લેખાય છે અને તેઓ અહિંસાની એટલી બધી સૂક્ષ્મ વ્યાખ્યા કરે છે કે તે બુદ્ધિમાં પણ ભાગ્યે જ ઊતરે. છતાં એમાંના કોઈ દેશમાં ચાલતી પશુપંખીઓની કતલ વિશે બધી જાતની સકારણ માહિતી શાસ્ત્રીય વિવેચન સાથે કેમ પૂરી નથી પાડતા જે કોઈ પણ હેમચંદ્ર કે કુમારપાળ, હીરવિજય કે અકબરને આદર્શ સેવવા માગે છે તે જુદી જ રીતે સેવી શકાશે. અત્યારે આ યુગમાં જ મારનારના દંડની રકમમાંથી મંદિર બંધાવનાર કદી અમારિ ધર્મ બજાવનાર તરીકે પ્રતિષ્ઠા નહિ પામે. આ યુગમાં માત્ર પશુપંખીઓની અમુક વખત સુધી તલ બંધ કરાવનાર પણ જૂના વખત જેટલી પ્રતિષ્ઠા નહિ પામે. આજના અમારિધર્મની જવાબદારી ખૂબ જ વધી ગઈ છે; એટલે એ ઢબે જ કામ થવું જોઈએ. એક બાજુ સાધુવર્ગ સંગઠનપૂર્વક ગામોગામ નીકળી જાય અને એક પણ ગામ એમના પગ તળે હૂંદાયા વિના ન રહે. દરેક માણસને પશુપાલનનું મહત્વ સમજાવે અને પશુરક્ષામાં મનુષ્યબળ તેમ જ મનુષ્યજીવન કેવું સમાયેલું છે તે આંકડા, વિગતો અને શાસ્ત્રીય વિવેચન સાથે રજુ કરે. કતલ થયેલા પશ અને પંખીઓનાં ચામડાં તેમ જ રૂવાં વાપરવાથી કતલ કેવી વધે છે, તે ઉદ્યોગને કેવું ઉત્તેજન મળે છે, સાંચાકામમાં ચરબી વાપરવાથી અને ખેતરમાં લેહીની ભૂકીનું ખાતર આપવાથી તેમ જ શીંગડાં, હાડકાં, ખરી, વાળ વગેરેની ચીજો વાપરવાથી તેની કિંમત વધવાને લીધે તે ઉદ્યોગ ખીલવાને લીધે, દિવસે દિવસે કતલ કેવી રીતે વધતી જાય છે એ બધું એ લોકો સમક્ષ આબેહૂબ રજૂ કરે અને કતલને ધંધે મૂળમાંથી જ ભાંગી પડે તે માટે કતલ થયેલ પશુપંખીના એકેએક અવયવની ખરીદ અને વાપર તરફ લેકેની અરુચિ પેદા કરે, મરેલ ઢેરનાં ચામડાં સિવાય કતલ કરેલ ઢેરનું કાંઈ જ કામ ન આવે એવી વૃત્તિ લેકમાં પેદા કરે. બીજી બાજુ ઊંચી કેળવણી માટે તલસતે અને જુદી જુદી કાર્ય દિશાઓને અભાવે વલખાં મારતો તરુણ વિદ્યાર્થીવર્ગ ગેરક્ષા અને પાંજરાપોળના અભ્યાસ પાછળ રોકાઈ જાય અને એ સંસ્થાઓની ઉપયોગિતા તેમ જ વ્યાપકતા ખિલવવા ખાતર તેની પાછળ બુદ્ધિ ખર્ચે. એ કામમાં પણ અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, ઇતિહાસ અને તત્ત્વજ્ઞાનને અવકાશ છે. જેને અભ્યાસ જ કરવો હોય અને બેઠમલિયા થયા સિવાય સાચું કામ કરવું હોય, તેમ જ દેશોપયોગી નવું સર્જન કરવું હોય, તેને માટે ગેરક્ષા અને પાંજરાપોળને લગતી સેંકડે બાબતે અભ્યાસ માટે પડી છે. એમાંથી દુગ્ધાલયનું કામ, લકોને નિર્દોષ ચામડાં પૂરા પાડવાનું કામ, નિર્દોષ ખાતર વગેરેથી ખેતીવાડીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org