SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા અને અમારિ [ ૪૬૫ ફરજ તેમનું પિષણ અટકાવવાની ઊભી થાય છે. એમ કરી તેમને સેવાનું અને પિતાની જવાબદારીનું ભાન કરાવવું એ જ આ કડવી ગેળીને ઉદ્દેશ હે જોઈએ. જ્યારે તેઓ પોતાને મળતા પિષણના બદલામાં પ્રાણ પાથરવાની જવાબદારી સમજી લે, તેમની બધી જ શક્તિઓ દેશ માટે ખરચાય, દેશનું ઉત્થાન–સામાન્ય જનતાની જાગૃતિ–તેમને શાપરૂપ ન લાગે, તેઓ પોતે જ આપણું આગેવાન થઈ દેશને સાથ આપે, ત્યારે તેઓ આપણા માનપાન, દાન અને ભેટના અધિકારી થાય. એમ ન થાય ત્યાં સુધી એવા એદી વર્ગને પિષવામાં તેમની અને આપણી બન્નેની હિંસા છે. હિંસાથી બચવું તે આજનો અમારિધર્મ શીખવે છે. - ધર્મમાત્રની બે બાજુ છેઃ એક સહકારની અને બીજી અસહકારની. અમારિધર્મની પણ બે જ બાજુ છેજ્યાં જ્યાં પરિણામ સારું આવતું હોય ત્યાં ત્યાં બધી જાતની મદદ આપવી એ અમારિધર્મની સહકારી બાજુ છે, અને જ્યાં મદદ આપવાથી ઊલટું મદદ લેનારને નુકસાન થતું હોય અને મદદને દુરુપયોગ થતો હોય ત્યાં મદદ ન આપવામાં જ અમારિ ધર્મની બીજી બાજુ આવે છે. મેં જે સેવા નહિ કરનાર, બદલે નહિ આપનાર અને સમાજ તેમ જ રાષ્ટ્રની પ્રગતિમાં આડે આવનાર વર્ગને મદદ ન આપવાની વાત કહી છે તે અમારિ ધર્મની બીજી બાજુ છે. એને ઉદેશ એવા વર્ગમાં ચેતન્ય આણવાન છે, એ વસ્તુ ભુલાવી ન જોઈએ, કારણ કે એ વર્ગ પણ રાષ્ટ્રનું અંગ છે. તેને જતું કરી શકાય નહિ. તેને ઉપયોગી બનાવવાની જ વાત છે. હેમચંદ્ર અને હીરવિજય કેમ થવાય? આજના જેની સામે અમારિધર્મના ખરા ઉદ્યોતકર તરીકે બે મહાન આચાર્યો છે. એક હેમચંદ્ર અને બીજા હીરવિજય. આ બે આચાર્યોના આદર્શ એટલા બધા આકર્ષક છે કે તેનું અનુકરણ કરવા ઘણા ગુરુઓ અને ગૃહસ્થ મથે છે. એ દિશામાં તેઓ ઘણે પ્રયત્ન કરે છે. જગાએ જગાએ ફંડ થાય છે, પશુઓ અને પંખીઓ છોડાવાય છે, હિંસા અટકાવવાનાં ફરમાને કઢાવાય છે. લોકોમાં પણ હિંસાની ઘણાના સંસ્કારે પુષ્કળ છે. આ બધું છતાં આજના હેમચંદ્ર અને આજના હીરવિજય થવા માટે જે દિશા લેવાવી જોઈએ તે દિશાને વિચાર સુધ્ધાં કોઈ જૈન ગૃહસ્થ કે ત્યાગીએ કર્યો હોય તેમ દેખાતું નથી. તેથી જ લાખો રૂપિયાના ફંડ ખર્ચાવા છતાં અને બીજા અનેક પ્રયત્નો. જારી હોવા છતાં હિંસાના મૂળ ઉપર કુઠાર પડ્યો નથી. જેમ શ્રી. વાલજી ગોવિંદજી દેસાઈએ અત્યારે ચોમેર ચાલતી કાલનો ઊંડો અભ્યાસ કર્યો, તેનાં કારણે શેધ્યાં અને તેના નિવારણના ઉપાય સૂચવ્યા તેમ કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy