________________
૪૬૨ ]
દર્શન અને ચિંતન આખો દેશ અપંગ અને અનાથ નહિ છતાં ઉદ્યોગધંધાને અભાવે અપંગ અને અનાથ જેવો થઈ ગયો હોય, અને ઉદ્યોગધધ ભળતાં જ પાછો પગભર થઈ શકે એ સંભવ હોય ત્યારે આપણે શું કરવું જોઈએ, એ જ પ્રશ્ન છે અને એનો ઉત્તર સ્વદેશીની ખરીદમાં અમારિ ધર્મ આવી જવાની સમજમાં સમાયેલું છે.
હવે આપણે ખેડૂતવર્ગ વગેરેના પહેલા મુદ્દાને લઈ તે ઉપર અમારિધર્મને વિચાર કરીએ. ચાર માણસ કલ્પનામાં રાખે. એક કદી અમારિ ધર્મ માટે કઈ મોટી રકમ અલાયદી કાઢી જાહેર કે ખાનગી સખાવત નથી કરતે, પણ પિતાની જમીન ખેડતા ખેડૂતોને જ પિતાના હાથપગ સમજી એમને એમની મહેનને પૂરે બદલ આપે છેપોતાને માલિક અને ખેડૂતને માત્ર કામગરે માની પિતાની કિંમત, સત્તા અને જરૂરિયાત ખેડૂત કરતાં વધારે અકી તેને ચૂસતે નથી. બીજે માણસ પણ તે જ સમભાવી છે, જે પિતાના તાબેના મજૂરેને પિતાનાં ફેફસાં જેવાં ગણી તેના કરતાં પિતાને ચડિયાત કે જુદો નથી ગણત; તેમને તેમની મજૂરી આપતાં જરા પણ અન્યાય કે શેષણ નથી કરતા. ત્રીજો માણસ પોતાના આશ્રિત નોકરને જ પિતાનું જીવન લખી તેમનાથી અતડે કે જુદો નથી પડત; પિતાને માટે એક અને આશ્રિતને માટે બીજું એવા ભેદ નથી રાખતો. એક ચણાની સરખી બે ફાડ કરીને જ આશ્રિત સાથે વહેંચણીનું તત્ત્વ રાખે છે. ચોથો માણસ ગમે તેટલે ઊંચ વર્ણન મનાતે હોય છતાં એને બધે જ વ્યવહાર દલિતવર્ગ સાથે સમાન છે. એ દલિતવર્ગને દબાવી કામ નથી કાઢી લે, પણ તેને તેના કામના બદલામાં પૂરતું આપે છે. આ ચારે માણસો કઈ નાનીમોટી રકમ, જાહેર કે ખાનગી, અલાયદી કાઢી સખાવત નથી કરતા. તેથી ઊલટું બીજા ચાર માણસ આવી સખાવત કરનાર છે. દુનિયામાં દાની તરીકે જાણીતા છે, પણ એમના પિતાના ખેડૂતે, મજા, આશ્રિત અને દલિત સાથે એ વ્યવહાર છે કે જેમાં તેઓ તેમની લેવડદેવડમાં બને તેટલું સામાનું ચૂસે છે. આ બન્ને ચિત્રો તમારી સામે હોય તે તમે સખાવત નહિ કરનાર પિલા ચાર માણસને ખરે અમારિધર્મ પાળનાર કહેશે કે પાછલા ચાર જણને? દુનિયાના શબ્દો ઉપર ન્યાયનું ધોરણ ઘણીવાર નથી હોતું. દુનિયા સ્થળદર્શી હોય છે. તાત્કાલિક મોટા કૃત્યથી તે અંજાઈ જાય છે અને ઝટપટ અભિપ્રાય ઉચ્ચારી દે છે. એક સાથે જાહેરમાં અમુક સખાવત કરનાર માણસના દાનની રકમથી અંજાઈ ભાણસો કહી દે કે એ તે ભારે ધાર્મિક છે. પણ ધાર્મિકતાનું ખરું અને છેલ્લું ધોરણ તે એના જીવનવ્યવહારમાં હોય છે. એટલે જોવું જોઈએ કે એવી મોટી સખાવત કરનાર પૈસા કઈ રીતે એકઠા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org