SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા અને અમારિ [ ૪૬ અને હમેશને માટે દેશને મદદ કરી શકે. પરદેશના ત્યાગમાં અને સ્વદેશીના ? સ્વીકારમાં જેમ શોખ ઉપર અંકુશ મુકાય છે તેમ નકામા ખર્ચ ઉપર પણ. અંકુશ મુકાય છે. શરૂઆતમાં અમુક ચીજો વિના ચલાવવું પડશે, રફ ચીજો પણ લેવી પડશે, કિંમત પણ વધારે બેસશે, ઘણીવાર ચીજ મેળવવામાં મુશ્કેલી, પણ પડશે; પરંતુ આ બધું છતાં દેશવાસી કોડે ભાઈઓના પેટમાં હંમેશાં અન્ન પહોંચાડવા ખાતર આપણે સ્વદેશી ખરી જ છૂટકો છે, અને પરદેશી વસ્તુઓને બહિષ્કાર કરવામાં જ આપણું દેશવાસીઓની અમારિ આવી જાય છે. પરદેશી માલના વેપારમાંથી આપણા દેશના લેકે નફે મેળવે છે અને એ નફામાંથી કેટલાક જણ સારાં કામમાં સખાવતે કરે છે એ વાત સાચી,. પણું એવા વ્યાપારમાં દેશના એક ટકા જેટલા માણસે પણ ભાગ્યે જ કમાનાર હોય છે. એથી ઊલટું સ્વદેશી વ્યાપાર ખીલે તો ધરધર ધંધો ચાલે, પ્રમાણ ઓછું છતાં બધા જ વ્યાપારીઓ ઘેર બેઠાં કમાય, કરોડો ધંધાર્થીઓ ધંધે લાગી જાય અને ઉદ્યોગીવર્ગ તેમ જ તે ઉપર નભતા વ્યાપારીવર્ગની નસમાં તાજું લોહી ભરાઈ જાય. તેથી આજનો અમારિ ધર્મ આપણને સ્વદેશી ધર્મ શિખવાડે છે. જ્યારે દેશની અંદર ધંધાની ખોટ ન હતી, સામાન્ય રીતે કોઈને અન્નવસ્ત્ર મેળવવાની ફરિયાદ ન હતી, ત્યારે આપણી અમારિઓ કતલખાનાં અને કસાઈખાનામાં કામ કર્યું, તે વ્યાજબી જ થયું છે. તે વખતે ગરીબગરબાને પ્રાસંગિક મદદ અપાતી, તે પણ વ્યાજબી જ હતું. પરંતુ આજે તે આખો કારીગરવર્ગ અને તે ઉપર નભતે બીજા મધ્યમવર્ગ જ ગરીબ અને કંગાલ થઈ ગયો છે, એને જુવાનીમાં ધોળાં આવ્યાં છે, તે વખતે આપણે અમારિની સખાવતે ગમે તેટલી કરીએ, તો પણ કેટલી કરીશું અને કેટલા માણસોને કેટલા વખત સુધી નભાવી શકીશું? એટલે જ એ સખાવતોને પ્રવાહ ઉદ્યોગધંધા સ્થાપવામાં, તેમ જ ચાલુ હોય તેને નિભાવવામાં વહેવરાવે જોઈએ. વળી કાંઈ અમારિ એવી વસ્તુ નથી કે તેને મોટામોટા ધનવાને જ કરી શકે. આજે તો અમારિનું સ્વરૂપ એવું છે કે દરેક માણસ એ ધર્મ બજાવી શકે. જેણે હંમેશના વાપરની ચીજો દેશની જ ખરીદી અને દર વર્ષે દેશમાં દશ રૂપિયા રાખ્યા, તેણે નફાના દરબાર આના જ નહિ પણ એ ચીજના ઉત્પાદક કારીગરવર્ગને મહેનત પૂરી પાડી મહેનતાણામાં બે રૂપિયા તે આપ્યા જ. આ રીતે એક એક માણસની અમારિનું કેવડું મોટું પ્રમાણ થાય ? અને એ પ્રમાણે એક માણસની એકાદ વખતની લાખની સખાવત કરતાં કેટલું વધી જાય એ વિચારવાની જરૂર છે. તેમ છતાં કાંઈ આપણે મોટી સખાવતે જતી કરવાના નથી. અપંગ, તદ્દન અનાથ અને બીજા એવા કેટલાક લેકે માટે હંમેશાં એવી સખાવતની જરૂર રહેશે, પણ આજે જ્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy