SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ -૪૬૦] દર્શન અને ચિંતન - જૂની રીત કરતાં વધારે પ્રમાણમાં અને વધારે વ્યાપક રીતે રાષ્ટ્રનું પિષણ થવું જોઈએ. આ દૃષ્ટિથી વિચારતાં આપણી સામે અત્યારે પહેલો સ્વદેશી ધર્મ આવે છે, જે પ્રથમ બતાવેલ ચાર મુદ્દા પૈકી બીજા મુદ્દા સાથે ખાસ સંબંધ ધરાવે છે. આપણું દેશમાં બધું પાકવા છતાં પાક માલ પરદેશથી જ આવે છે. - અહીંના પડી ભાંગેલા ઉદ્યોગધંધા અને કળાહુન્નરને આપણા વિના બીજા કેઈ દેશનો માણસ સજીવન નહિ કરે. આપણા દેશની વસ્તુઓ બીજા દેશના લેકે નહિ વાપરે. યુરોપ અને અમેરિકાના લેકે એટલું જીવનતત્ત્વ સમજી ગયા છે કે તેઓ પોતાના દેશવાસીઓને નુકસાન થાય એવું કશું જ નહિ કરે, એટલે તમારે પાક ભાલ તેઓ નહિ જ લે. ત્યારે આપણે માલ આપણે ન ખરીદીએ તો આપણા દેશમાં માલ પેદા જ કેવી રીતે થઈ શકે? અને થતા હોય તે એ નભી કેવી રીતે શકે? એક બાજુ સ્વદેશી માલ ખરીદવાની આપણી - ઉદાસીનતા અને બીજી બાજુ રાજ્યકર્તાઓ તેમ જ બીજા પરદેશી વ્યાપારીઓ તરફથી આપણે ધંધો કચરાઈ જાય તેવી થતી બધી જ હિલચાલે–આ બે કારણથી આપણે ધંધે જાગે જ કેવી રીતે ? અને જે દેશમાં ઉદ્યોગ કે ધ ન જાગે તે આપણે દાન અને સખાવતથી હંમેશાં આપણું દેશના કરડે માણસોને કેવી રીતે અને કેટલા વખત સુધી નિભાવી શકવાના ? દાન અને સખાવત એ તો માત્ર મલમપટા જેવું છે. મલમપટાની જરૂર હોય છે, પણ જ્યારે શરીરમાંથી લેહી જ ચુસાતું અને નિચેવાતું હોય ત્યારે પહેલાં તો એ લેહી ભરેલું કાયમ રહે એવી વ્યવસ્થા કરવી જ આવશ્યક છે. માતૃભૂમિ હિંદના શરીરની એકેએક નસમાંથી આજે લેહી વહી જાય છે અને શરીર ખાલી પડી નિસ્તેજ થઈ ગયું છે. એ વહી જતું લેહી અટકાવી તાજું લેહી ભરવું આપણા હાથમાં છે. એક માણસ લાખો રૂપિયાની મોટામાં મોટી સખાવત કરે અને બીજી બાજુ તે જ માણસ ફર્નિચરમાં, લૂગડાંલત્તામાં, વાસણસણમાં અને બીજી એવી નાની-મોટી હજારે ચીજોમાં લાખો રૂપિયા હમેશને માટે પરદેશમાં મોકલ્યા કરે તો એની એ સખાવત આજે બહુ કીમતી નથી; અથવા એમ કહે કે એને સખાવત અને પરદેશીત્યાગ એ બેમાંથી માતૃભૂમિની સેવા માટે એકની જ પસંદગી કરવાની હોય તો આજે પરદેશીત્યાગ અને સ્વદેશીને સ્વીકાર એની જ પસંદગી લાભદાયક લેખાશે, કારણ કે તે માણસ મોટામાં મોટું દાન આપે તે પણ તે અમુક વખતે જ અને અમુક કામ પૂરતું જ આપી શકે, બધાં ક્ષેત્રમાં એની વહેંચણી થઈ ન શકે, જ્યારે એ માણસ સ્વદેશીની ખરીદ અને પરદેશીના ત્યાગ મારફત બધાં જ ક્ષેત્રોમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy