SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા અને અમારિ [૪૫૯ હવે છેલ્લે જોવાનું એ રહે છે કે ત્યારે કઈ રીતે અને કયા ક્યા ક્ષેત્રમાં આપણી દયા દેશવાસીઓમાં વહેંચાવી જોઈએ. આ બાબતનો નિર્ણય કરવાને આધાર આજની આપણી દેશદશા ઉપર રહેલું છે. કયું કર્યું અંગ પોષણ માગે છે તેમ જ ક્યા અંગમાં વધારે પડતો ભરાવો થવાથી સડાણ ઊભું થયું છે, એ તપાસીને જ આપણું સખાવતોનો અને બુદ્ધિ તેમ જ શક્તિનો ઉપયોગ, કરે જોઈએ. (૧) ખેડૂતે, મજા, આશ્રિત નોકરી અને દલિતવર્ગ એ બધા પોતાના પરસેવાનાં ટીપાંના પ્રમાણમાં કશું જ નથી પામતા; ઊલટું, તેમના લેહીનું છેલ્લું ટીપું તેમના ઉપર કાબૂ ધરાવનાર જ ચૂસી લે એવી દશા વર્તે છે. (૨) ઉદ્યોગધંધા અને કળાહુન્નર ભાંગી પડવાથી તેમ જ નિરાધાર થઈ જવાથી તેના ઉપર નભતા કારીગરવર્ગ અને બીજા વર્ગોની પિતાના જ દેશમાં જુવાની. છતાં ઘડપણ જેવી પાંગળી સ્થિતિ થઈ ગઈ છે. (૩) ભણેલગણેલ અને વકીલાત, નોકરિયાત જેવાં કામ કરનાર બુદ્ધિજીવી લેકની એકતરફી બેઠમલિયા તાલીમથી તેમનામાં આવેલી અસાધારણ માનસિક નબળાઈ અને અસંતોષની વૃત્તિ. (૪) ફકીર, બાવા તથા પંડિત-પુરહિત અને રાજા-મહારાજાઓનાં જઠરમાં જોઈએ તે કરતાં વધારેમાં વધારે પડતા હવિને લીધે તેમની આળસી, કેફી અને બીજાને ભેગે જીવવાની વૃત્તિ. આ રીતે આર્થિક વહેંચણીની વિષમતાને લીધે રાષ્ટ્રનાં અંગોમાં નબળાઈ અને સડે આવી ગયેલ છે. એ નબળાઈ અને સડો દૂર કરવામાં જ, એટલે જે અંગમાં લેહીની જરૂર હોય ત્યાં તે પૂરવામાં અને જ્યાં વધારે જામીને સ્થિર થઈ ગયું હોય ત્યાંથી તેને ગતિમાન કરી બીજી જગાએ વહેવડાવવામાં જ, આજની આપણી દયા કે અમારિની સાર્થકતા છે. પજુસણ જેવા ધર્મદિવસમાં તેમ જ બીજા સાર–નરસે પ્રસંગે આપણે દાનપ્રવાહ કસાઈખાને જતાં ઢેરાંઓના બચાવમાં અને એ ઢેરાંઓના ભાવમાં વહે છે. એ જ રીતે ગરીબગરબાને પોષવામાં તેમ જ અનાથ અને અપંગને નભાવવામાં અને સાધર્મિક ભાઈઓની ભકિત, –પ્રતિપત્તિ કરવામાં તેમ જ એવી બીજી બાબતમાં આપણે છૂટું છવાયું અને વ્યવસ્થિત રીતે પુષ્કળ ધન ખરચીએ છીએ. આ દાનપ્રવાહ અને સખાવતની પાછળ રહેલ ઉદારતા અને બીજાનું ભલું કરવાની વૃત્તિ એ બે તત્વ બહુ કીમતી છે. તેથી એ બે તો કાયમ રાખીને, બલકે વધારે વિકસાવીને,. આપણે દેશકાળની પરિસ્થિતિ પ્રમાણે દાન અને સખાવતનું સ્વરૂપ બદલવું જોઈએ. આ ફેરફારની શરત એટલી જ હોવી જોઈએ કે તે ફેરફાર દ્વારા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy