________________
૪૫૮ ]
દન અને ચિંતન
પોતાના જીવનને વ્યાપક અને સરસ ઉપયોગ બીજું કાઈ પણ પ્રાણી કરી શકતું નથી. (૩) મનુષ્યની સખ્યા બીજા કાઈ પણ જીવધારીએ કરતાં ઓછી જ હોય છે, કારણ હંમેશાં વિકાસશીલ વર્ગ નાના જ હોય છે. આટલે નાનકડા વગ જે સુખી અને સમાધાનવાળા ન હેાય તે ગમે તેટલી રાહત અને મદદ આપ્યા છતાં પણ ખીજા જીવધારીએ કદી સ્વસ્થ અને સુખી રહી ન શકે; એટલે કે મનુષ્યજાતિની સુખશાંતિ ઉપર જ ખીજા જીવાની સુખશાંતિના આધાર છે.
આ કારણોથી આપણે આપણી ધ્યાને ઝરા દરેક જંતુ ઉપર ભલે ચાલુ રાખીએ, તેમ છતાં વધારેમાં વધારે અને સૌથી પહેલાં માનવભાઈ આ તરફ જ એ વહેતા રાખવા જોઈ એ અને માનવભાઈ એમાં પણ જે આપણી પડેાશમાં હાય, જે આપણા જાતભાઈએ કે દેશવાસીએ હાય તેમના તરફ આપણા યાસ્રોત પહેલા વહેવડાવવા જોઈ એ. જો આ વિચારસરણી સ્વીકારવા માં અડચણ ન હેાય તા, કહેવું જોઈએ કે, આપણી અહિંસા તે ધ્યા એ અન્નેના ઉપયાગ અત્યારે આપણા દેશવાસીઓ માટે જ થવા ઘટે. આનું એક ખાસ કારણ એ છે કે આપણે રાજકીય પરતંત્રતામાં છીએ, અને પરતંત્ર પ્રજામાં સ્વતંત્ર ધર્મ કદી પોષાઈ શકતા જ નથી. જ્યારે મન, વચન અને શરીર એ ત્રણે ગુલામીમાં રગાયાં હાય, નિર્ભયપણે મન વિચાર કરવા ના પાડતું હોય, કરેલ નિય વિચાર ઉચ્ચારવામાં અર્થાત્ ખીજા-આને કહેવામાં વચન ઉપર અંકુશ મુકાતા હોય અને અપવિત્રમાં અપવિત્ર તેમ જ એકાંત અહિતકારક કેફી પીણાંના ત્યાગ કરાવવા જેવી વાચિક અને શારીરિક પ્રવૃત્તિ ઉપર રાજદંડ પોતાનું બિહામણુ મોઢુ ફાડી ઊભા હોય, સ્વતંત્ર આત્માનાં બધાં જ વહેંણા રાજભયથી અને શંકાના વાતાવરણથી થંભી ગયાં હાય, ત્યાં શુદ્ધ ધર્મ જેવી વસ્તુને સંભવ જ રહેતા નથી. તેથી શુદ્ધ ધર્મની દૃષ્ટિએ પણ રાજકીય ગુલામી દૂર કરવા ખાતર સૌથી પહેલાં આપણા દેશવાસી ભાઈઓને જોઈતી મદદ આપવા તરફ જ સ પ્રથમ લક્ષ અપાવું જોઈએ અને આપણા બધાની મદદ આપવાની સશક્તિ દેશની ગુલામી દૂર કરવામાં વપરાવી જોઈ એ. એ જ અત્યારની આપણી અમારિ (અહિંસા) છે. જો આપણે રાજકીય ગુલામીમાં ન હોઈએ તે આપણા દેશમાં દિન ઊગે લાખો દુધાળ અને ખેતી ઉપયોગી પ્રાણીઓનો નાશ થાય છે તે થાય જ નહિ. આપણે આપણી ઇચ્છા પ્રમાણે દેશની વ્યવસ્થા કરી શકીએ અને કાઈ પણ વગતે ગુલામીમાં રાખ્યા સિવાય જેટલી વ્યવહારમાં શક્ય હાય તેટલી સૌને સ્વતંત્રતા આપી શકીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org