________________
અહિંસા અને અમારિ
[૪૫૭ એટલે તત્વની દષ્ટિએ કઈ પણ શુદ્રમાં સુદ્ર કે મોટામાં મોટા છવના પ્રત્યે આચરવામાં આવતી અહિંસા કે દયાનું પરિણામ સમાન જ છે. તેમ છતાં આપણે સામાજિક અને સ્થળ ભૂમિકાના લેક છીએ. આપણે આપણું કર્તવ્ય અને આચરણને પડશે સાંભળવા હંમેશાં આપણા પિતાને કાન ઉધાડા રાખીએ છીએ અને જે કર્યું તેની લેકે ઉપર શી છાપ પડી અથવા લેકે ઈચ્છે તેમ આપણે આચર્યું કે નહિ એમ જાણવા હમેશાં ઇતર હેઈ એ છીએ; એટલે કે આપણે વ્યાવહારિક ધર્મનું અનુસરણ પહેલાં કરીએ છીએ. વળી આપણે આપણા સમાજ અને કુલધર્મની બીજાઓ પાસે વધારે કિંમત અંકાવવા ઈચ્છીએ છીએ. આ કારણથી બીજી કોઈ પણ જીવજાતિ કરતાં મનુષ્યજાતિ તરફ અહિંસા ને દયાનો હાથ લંબાવવાની આપણને જાણે-અજાણે કે ઈચ્છા-અનિચ્છાએ પહેલી ફરજ પડે છે.
તમારી સામે ત્રણ માણસો છે એવી કલ્પના કરે: એક જણ ગળીના શિકારી પંજામાંથી સેંકડો માને બચાવે છે અગર તે કાબરની કઠેર ચાંચમાંથી હજારે કીડામડાને બચાવે છે. બીજો બગલાની ચાંચમાંથી માછલીઓને અગર તે શિકારીની જાળમાંથી હરણોને છોડાવે છે. ત્રીજે કઈ લૂંટારા કે ખૂનીના પંજામાં સપડાયેલ એક માનવભાઈને બચાવે છે. આ ત્રણે દો તમારી સામે હેય. તેમાં છેલ્લા કરતાં પાછલાઓમાં જ ઉત્તરોત્તર વધારે અને વધારે છેવોને બચાવ થાય છે એ દેખીતું છે, છતાં તમારા ઉપર એ ત્રણમાંથી કેની વધારે સારી અસર થશે ? એટલે કે તમે એ ત્રણે દયાળુ વ્યક્તિઓમાં કેને શ્રેષ્ઠ કહેશે? અથવા તો કેની દયાની વધારે કિંમત આંકશો ? હું ધારું છું, દરેક જણ વગર સંકેચે મનુષ્યને બચાવનાર વ્યક્તિને જ વિશેષ દયાળુ કહેવાને. આ દલીલ ઉપરાંત બીજી પણ કેટલીક એવી દલીલ છે કે જે મનુષ્યજાતિ તરફ સૌથી પહેલું લક્ષ ખેંચવાની તરફેણ કરે છે: (૧) મનુષ્ય પોતે સ્વસ્થ અને સાધનસંપન્ન હોય તો તે પોતાની જાતિ ઉપરાંત બીજી છવજાતિઓની પણ ખૂબ સેવા કરી શકે છે; જ્યારે મનુષ્ય સિવાયનું કોઈ પ્રાણી તેમ કરવા અસમર્થ છે. (૨) મનુષ્ય એ બીજા કોઈ પણ જીવધારી કરતાં વધારે વિચાર અને વર્તનવાળા હોવાથી, તેમ જ પિતાની શક્તિઓનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા એનામાં સૌ કરતાં વધારે હોવાથી તે જેમ વધારેમાં વધારે બીજાઓને હેરાનકર્તા થઈ શકે છે તેમ બીજા કોઈ પણ વધારી કરતાં બીજાઓને માટે તે વધારે કલ્યાણકારક પણ નીવડે છે. એટલે વિકાસશીલ હેવાથી જ મનુષ્ય સૌથી પહેલાં દયા અને સેવા મેળવવાનો અધિકારી છે. મનુષ્યના જેટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org