________________
૪૫૬ ]
દાન અને ચિંતન
એ ઉઘાડી તરવાર જેવી સૌની નજરે આવે એવી વસ્તુ છે. તેથી તેને આસરવામાં જ ધર્મની પ્રભાવના દેખાય છે.
સમાજના વ્યવસ્થિત ધારણ અને પોષણ માટે અહિંસા તેમ જ યા અન્તેની અનિવાર્ય જરૂર છે. જે સમાજમાં અને જે રાષ્ટ્રમાં જેટલે અ ંશે બીજા ઉપર ત્રાસ વધારે ગુજરતા હોય, નબળાના હક્કા વધારે કચરાતા હાય, તે સમાજ કે તે રાષ્ટ્ર તેટલા જ વધારે દુ:ખી અને ગુલામ. તેથી ઊલટુ, જે સમાજમાં અને જે રાષ્ટ્રમાં એક વર્ગના ખીન્ન વર્ગો ઉપર કે એક વ્યક્તિના બીજી વ્યક્તિ ઉપર જેટલે ત્રાસ ઓછો અથવા ખીજા નબળાના હકકાની જેટલી વધારે રહ્યા તેટલા જ તે સમાજ અને તે રાષ્ટ્ર વધારે સુખી અને વધારે સ્વતંત્ર. એ જ રીતે જે સમાજ અને જે રાષ્ટ્રમાં સખળ વ્યક્તિઓ તરફથી નબળા માટે જેટજેટલા વધારે સુખસગવડના ભાગ અપાતા હોય, જેટજેટલી તેમની વધારે સેવા કરાતી હોય, તેટ્લા તે સમાજ અને તે રાષ્ટ્ર વધારે સ્વસ્થ અને વધારે આબાદ. એથી ઊલટું જેટજેટલું વધારે સ્વાથી પશુ તેટતેટલે તે સમાજ વધારે પામરી અને વધારે છિન્નભિન્ન. આ રીતે આપણે સમાજે અને રાષ્ટ્રાના ઇતિહાસ ઉપરથી જે એક નિશ્ચિત પરિણામ તારવી શકીએ છીએ તે એ છે કે અહિંસા અને ધ્યા એ બન્ને જેટલાં આધ્યાત્મિક હિત કરનારાં તત્ત્વ છે તેટલાં જ તે સમાજ અને રાષ્ટ્રનાં ધારક અને પેષક તત્ત્વ પણ છે.
એ બન્ને તત્ત્વાની જગતના કલ્યાણાર્થે એકસરખી જરૂરિયાત હોવા છતાં અહિંસા કરતાં યા જીવનમાં લાવવી કાંઈક સહેલ છે. અતર્દશન વિના અહિંસા જીવનમાં ઉતારી શકાતી નથી, પણ યા તો અતર્દશન વિનાના આપણા જેવા સાધારણ લેાકેાના જીવનમાં પણ ઊતરી શકે છે.
અહિંસા નકારાત્મક હાવાથી બીજા કાઈ ને ત્રાસ આપવાના કાર્યથી મુક્ત થવામાં જ એ આવી જાય છે અને એમાં બહુ જ બારીકીથી વિચાર ન પણ કર્યાં હાય, છતાં એનું અનુસરણ વિધિપૂર્વક શકય છે; જ્યારે ધ્યાની ખખતમાં એમ નથી. એ ભાવાત્મક હાવાથી અને એના આચરણના આધાર સચાગા તેમ જ પરિસ્થિતિ ઉપર રહેલા હોવાથી એને પાળવામાં વિચાર કરવા પડે છે, બહુ જ સાવધાન રહેવું પડે છે અને દેશકાળની સ્થિતિનું બહુ જ
જ
ભાન રાખવું પડે છે.
અહિંસા અને ધ્યા બન્નેની પાછળ સિદ્ધાંત તે આભૌપમ્યના છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org