________________
અહિંસા અને અમારિ
૪૫૫ પહેલું અને સૌથી વધારે વ્યવસ્થિત ધ્યાન આપવાની જરૂર ઊભી થાય એ સ્વાભાવિક છે. - આ બે સ ઉપર જ આજની આપણી અહિંસા અને અમારિનું વ્યાવહારિક સ્વરૂપ નક્કી કરી શકાય તેમ છે.
જીવનની તૃષ્ણા હેવી એટલે કે ચલાવી શકાય તે કરતાં વધારે જરૂરિયાત ઊભી કરી તે પૂરી પાડવા ખાતર, બિલકુલ બદલે આપવાની વૃત્તિ રાખ્યા સિવાય અગર તે ઓછામાં ઓછા બદલે આપીને, બીજાઓની સેવા લેવી તે હિંસા. આ વ્યાખ્યા સામાજિક હિંસાની છે. તાત્વિક હિંસા તે એથી પણ વધારે સૂક્ષ્મ છે. એમાં કોઈ પણ જાતના થેડામાં થોડા વિકારને પણ સમાસ થઈ જાય છે. તાત્ત્વિક અહિંસામાં માત્ર સહન અને સહન જ અગર તો ત્યાગ અને ત્યાગ જ કરવાપણું છે, પરંતુ અહીં સામાજિક અને રાષ્ટ્રીય દષ્ટિએ અહિંસાને વિચાર કરવાનું હોવાથી અને તેવી જ અહિંસાની વધારે શક્યતા તેમ જ વધારે ઉપયોગિતા હોવાથી આ સ્થળે તે જ અહિંસાને વિચાર પ્રસ્તુત છે. - અહિંસા કે અમારિનાં બે રૂપ છે: (૧) નિષેધાત્મક (નકાર); (૨) તેમાંથી જ ફલિત થતું ભાવાત્મક (હકાર). કોઈને ઈજા ન કરવી કે કેઈને પિતાના દુઃખના તેની અનિચ્છાએ ભાગીદાર ન કરવા એ નિષેધાત્મક અહિંસા છે. બીજાના દુઃખમાં ભાગીદાર થવું અગર તે પોતાની સુખસગવડનો લાભ બીજાને આપ એ ભાવાત્મક અહિંસા છે. એ જ ભાવાત્મક અહિંસા દયા અગર તે સેવા તરીકે જાણીતી છે. સગવડ ખાતર આપણે અહીં ઉક્ત બને પ્રકારની અહિંસાને અનુક્રમે અહિંસા અને દયાના નામથી ઓળખાવીશું. અહિંસા એ એવી વસ્તુ છે કે જેની દયા કરતાં વધારેમાં વધારે કિંમત હવા છતાં તે દયાની પેઠે એકદમ સૌની નજરે નથી ચડતી. દયાને લોકગમ્ય કહીએ તે અહિંસાને સ્વગમ્ય કહી શકાય. જે માણસ અહિંસાને અનુસરતા હોય તે તેની સુવાસ અનુભવે છે. તેને ફાયદો તે અનિવાર્ય રીતે બીજાઓને મળે જ છે, છતાં ઘણીવાર એ ફાયદો ઉઠાવનાર સુધ્ધાંને એ ફાયદાના કારણરૂપ અહિંસાતત્ત્વનો ખ્યાલ સુધ્ધાં નથી હોતો અને એ અહિંસાની સુંદર અસર બીજાઓના મન ઉપર પડવામાં ઘણીવાર ઘણે લાંબે વખત પસાર થઈ જાય છે.
જ્યારે દયાની બાબતમાં એથી ઊલટું છે. દયા એ એવી વસ્તુ છે કે તેને પાળનાર કરતાં ઘણીવાર તેને લાભ ઉઠાવનારને જ તે વધારે સુવાસ આવે છે. દયાની સુંદર અસર બીજાઓનાં મન ઉપર પડતાં વખત જતા જ નથી. તેથી દયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org